દેશી રાજ્યોનો પ્રશ્ન
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૯૪૧




દેશી રાજ્યોનો પ્રશ્ન






મોહનદાસ કરમચંદ ગાંધી











નવજીવન પ્રકાશન મંદિર
અમદાવાદ



દેશી રાજ્યોનો પ્રશ્ન






મોહનદાસ કરમચંદ ગાંધી











નવજીવન પ્રકાશન મંદિર
અમદાવાદ


મુદ્રક અને પ્રકાશક
જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ
નવજીવન મુદ્રણાલય, કાળુપુર, અમદાવાદ




પહેલી આવૃત્તિ, પ્રત ૨,૦૦૦





દોઢ રૂપિયો
નવેમ્બર, ૧૯૪૧
 





પ્રકાશકનું નિવેદન

દેશી રાજ્યોના પ્રશ્ન વિષેનાં ગાંધીજીનાં જે લખાણો ને ભાષણો ‘નવજીવન’ તથા ‘હરિજનબંધુ’માં પ્રસિદ્ધ થયેલાં તેમાંથી મહત્ત્વનાં પસંદ કરીને તેનો સંગ્રહ આ પુસ્તકમાં કરવામાં આવેલો છે. જે લખાણો ને ભાષણો ગુજરાત કાઠિયાવાડનાં દેશી રાજ્યોને લગતાં હતાં તે બધાં લેવામાં આવ્યાં છે, અને ઈતર લખાણોમાંથી જેમાં રાજા પ્રજા વચ્ચેનો સંબંધ, રાજા તેમ જ પ્રજા ઉભયનાં કર્તવ્યો, ચક્રવર્તી સત્તાની ફરજ, વગેરે સર્વસામાન્ય વિષયોની ચર્ચા હતી તેટલાં જ લેવામાં આવ્યાં છે. આ જ વિષય પરનો ગાંધીજીનો અંગ્રેજી લેખસંગ્રહ થોડા વખત પર નવજીવન પ્રકાશન મંદિરે પ્રસિદ્ધ કર્યો છે તેમાં એ સર્વ લેખો, તેમ જ આ પ્રશ્નને લગતા મહત્ત્વના સર્વ દસ્તાવેજો વગેરે પણ આપવામાં આવ્યા છે. એ બધું ગુજરાતી પુસ્તકમાં આપવાની જરૂર ન હતી, છતાં આ ગુજરાતી સંગ્રહમાં કેટલાક લેખો એવા છે જે સ્વતંત્રપણે ગુજરાતીમાં લખાયેલા હોઈ અંગ્રેજીમાં નથી. લેખો ઐતિહાસિક ક્રમે ગોઠવેલા છે તેમાં ઉદ્દેશ એ રહેલો છે કે આ પ્રશ્નને અંગે ગાંધીજીના વિચારો કયે વખતે કેવા હતા, ને તેમાં પરિવર્તન થયું તે કેવા ક્રમે થવા પામ્યું, અને રાજસ્થાની પ્રજાની હિલચાલની દોરવણી જેટલે અંશે તેમને હાથે થઈ તેટલે અંશે એ હિલચાલનો વિકાસ કેવી રીતે થયો, એનો પણ ખ્યાલ વાચકને આપોઆપ મળી રહે. આ

લેખોમાં ઘણું એવું છે જે વરસો ઉપર કહેવાયું છતાં આજની સ્થિતિને પણ તેટલું જ લાગુ પડે છે. અને દેશી રાજ્યોની પ્રજાની સ્વતંત્રતાની હિલચાલ – જે સમગ્ર ભારતની સ્વતંત્રતાની હિલચાલનો જ એક અંશ છે—હજુ સમાપ્ત થઈ નથી ને આજે કદાચ તેમાં વિરામ આવેલો દેખાતો હોય તોપણ તે આગળને માટેની તૈયારીનો જ કાળ છે. એ તૈયારી કેવી રીતે કરાય એનું વિવેચન પણ ગાંધીજીનાં પાછળનાં લખાણોમાં અનેક વાર કરેલું માલૂમ પડશે. એ અર્થમાં આ પુસ્તક દેશી રાજ્યોની પ્રજા ને તેના સેવકોને માટે માર્ગદર્શિકારૂપ થઈ પડશે, અને તેઓ પોતાને મુકામે પહોંચશે ત્યાં લગી તેમનો પંથ ઉજાળશે.

‘હરિજનબંધુ’નું પ્રકાશન મોકૂફ રહ્યું અને ગાંધીજી તરફથી દર અઠવાડિયે થતું માર્ગદર્શન બંધ પડ્યું ત્યારથી તેમનાં લખાણોના સંગ્રહની માગણી વધી છે, ને એ સ્વાભાવિક છે. તેથી અમને જણાવતાં આનંદ થાય છે કે બીજા અનેક વિષયો પરના તેમના લેખસંગ્રહો તૈયાર થઈ રહ્યા છે, ને તે ક્રમે ક્રમે પ્રસિદ્ધ કરવામાં આવશે.

તા. ૨૦–૧૧–’૪૧





અનુક્રમણિકા

પ્રકાશકનું નિવેદન
૧. ‘ઝવેરાત ઉતારો’
૨. દેશી રાજ્યોમાં શું કરાય ?
૩. કાઠિયાવાડના રાજામહારાજાઓ પ્રત્યે —
૪. દેશી રાજ્યો ૧૨
૫. રાજકોટવાસી ૧૪
૬. દેશી રાજ્યોમાં શાહજાદા ૧૭
૭. અધીરું કાઠિયાવાડ ૧૯
૮. કાઠિયાવાડ શું કરે ? ૨૫
૯. કાઠિયાવાડીને અન્યાય ? ૩૩
૧૦. કાઠિયાવાડ રાજકીય પરિષદનું ધ્યેય ૩૮
૧૧. દેશી રાજ્યમાં સત્યાગ્રહ ૪૨
૧૨. શી આશાએ ? ૪૪
૧૩. કાઠિયાવાડીઓને ૪૮
૧૪. ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ ૫૧
૧૫. કાઠિયાવાડ રાજકીય પરિષદ ૭૫
૧૬. કાઠિયાવાડનાં સ્મરણો ૯૪
૧૭. કાઠિયાવાડીઓને ૧૦૦
૧૮. રડીને રાજ્ય લેવું છે ૧૦૪
૧૯. જન્મભૂમિદર્શન ૧૧૨
૨૦. કાઠિયાવાડનાં સ્મરણો ૧૨૦
૨૧. પ્રજા અને રાજા ૧૩૦
૨૨. દેશી રાજ્યો ૧૩૧

૨૩. ‘ઉદ્ધાર ક્યારે થાય?’ ૧૩૩
૨૪. રાજાપ્રજા ૧૩૯
૨૫. કાઠિયાવાડ રાજકીય પરિષદ ૧૪૨
૨૬. કાઠિયાવાડ રાજકીય પરિષદ ૧૪૬
૨૭. પોરબંદર પરિષદ ૧૫૪
૨૮. સ્વરાજ એટલે રામરાજ્ય ૧૬૧
૨૯. મોરબી પરિષદમાં ગાંધીજી ૧૬૫
૩૦. ચક્રવર્તી અને માંડલિક ૧૭૦
૩૧. વિચારની અરાજકતા ૧૭૭
૩૨. રાજા અને રંકનું ૧૮૫
૩૩. દેશી રાજ્યો અને સત્યાગ્રહ ૧૯૦
૩૪. કાઠિયાવાડ રાજકીય પરિષદ ૧૯૬
૩૫. સત્યાગ્રહીની વરાળ ૧૯૮
૩૬. મોરબી અને સત્યાગ્રહી ૨૦૮
૩૭. સત્યાગ્રહ અને મોરબી ૨૧૧
૩૮. રાજાઓ ૨૧૨
૩૯. કાઠિયાવાડના સેવકો ૨૧૩
૪૦. દેશી રાજ્યો વિષેનો ઠરાવ ૨૧૯
૪૧. દેશી રાજ્યો ૨૨૬
૪૨. દેશી રાજ્યો અને જવાબદારી ૨૨૯
૪૩. તટસ્થતા એટલે ? ૨૩૬
૪૪. ઔંધ રાજ્યમાં સુધારા ૨૩૯
૪૫. દેશી રાજ્યો અને પ્રજા ૨૪૧
૪૬. રાજકોટ ૨૪૬
૪૭. ઔંધનું રાજ્યબંધારણ ૨૫૦
૪૮. હિંસા વિ૦ અહિંસા ૨૫૨
૪૯. મહાસભા અને દેશી રાજ્યો ૨૫૬
૫૦. દેશી રાજ્યો ૨૬૧

૫૧. રાજકોટની લડત ૨૬૫
૫૨. મારી કેફિયત ૨૭૦
૫૩. લીંબડીની અંધેરશાહી ૨૭૪
૫૪. વિષ્ટિને કાજે ૨૭૯
૫૫. અનશન ૨૮૫
૫૬. ઠાકોર સાહેબને ગાંધીજીના કાગળ ૨૮૮
૫૭. ‘પ્રેમપંથ પાવકની જ્વાળા’ ૨૯૪
૫૮. પૂર્ણાહુતિ ૩૦૮
૫૯. એનો મર્મ ૩૧૬
૬૦. રાજકોટની પ્રજા પ્રત્યે ૩૧૮
૬૧. ઉપવાસ વિષે ૩૨૫
૬૨. સમય ઓળખો ૩૨૮
૬૩. સત્યાગ્રહીની લાયકાત ૩૩૨
૬૪. દેશી રાજ્યો ૩૩૫
૬૫. મારી ભૂલ? ૩૩૯
૬૬. મારી વ્યથા ૩૪૩
૬૭. હું હાર્યો ૩૪૬
૬૮. રામદુર્ગનો હત્યાકાંડ ૩૫૨
૬૯. હૃદયમંથન ૩૫૬
૭૦. નવો પ્રયોગ ૩૬૩
૭૧. માફીનો એકરાર ૩૬૭
૭૨. નવો પ્રકાશ ૩૭૨
૭૩. નવા પ્રયોગનો અમલ ૩૭૯
૭૪. કેટલે સુધી? ૩૮૫
૭૫. એની સમજણ ૩૯૦
૭૬. અહિંસા વિ૦ હિંસા ૩૯૫
૭૭. રાજાઓને ૪૦૩
૭૮. સગીર રાજ્યવહીવટ ૪૦૯


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.