છું, પણ મારે મારી વરાળ આજે ભરી રાખવી રહી. તમારામાંથી જે ધગી રહ્યા હોય તેઓ પણ વરાળ ભરી રાખે.”
“રજપૂતોનો ઇતિહાસ વાંચીને શીખો કે વીરનું એકે વેણ મિથ્યા જતું નથી. વીરતા વેણ કાઢવામાં નથી, વેણ મિથ્યા ન જવા દેવામાં છે.”
“એક જ માણસનું શુદ્ધ બલિદાન ઊગી નીકળ્યા વિના ન રહે. પણ વિવેક અને વિચાર વગરનું ગમે તેટલું બલિદાન વ્યર્થ જશે.”
“હું તે લોકને સાથે લઈને ચાલવા ઇચ્છું, એટલે તમારે જોરે જ મારું જોર માપીશ.”
“રાજાની મહેરબાની લઈ ને પરિષદ ભરવામાં મનેય હોંશ નથી. પણ પરિષદ ભરવી જ છે એમ કબૂલ કરીએ તો આ મર્યાદાનો ઠરાવ કર્યા વિના છૂટકો નથી.”
“ફરજિયાત અંકુશ પાડનારો છે, મરજિયાત અંકુશ ચડાવનારો છે.”
“આ અંકુશમાં બીજાની દયા ખાવાની વાત નથી, આપણી જ દયા ખાવાની વાત છે. એમાં બીજાનું રક્ષણ નથી, આપણે માટે જ સુરક્ષણનો કિલ્લો રચવાની વાત છે.”
“આ અંકુશ તમારો પોતાનો મૂકેલો હશે એટલે એમાં માનભંગનો દોષ નહિ આવે.”
“કાઠિયાવાડમાં રાજા અને રાજ્યતંત્રમાં ભેદ જ નથી. ભેદ હોત તો સારું.”
“જે મનુષ્યને પોતાની શક્તિનું ભાન છે તે જ્યારે તેનું પ્રદર્શન જગતને કરાવે છે ત્યારે તેનો ભાર હલકો થાય છે.”