આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬
દેશી રાજ્યોનો પ્રશ્ન


વળી આ કોલકરાર પર એક બ્રિટિશ દીવાનની પણ સહી છે. આ દીવાનને ગુમાન હતું કે પોતે બ્રિટિશ સત્તાનો પ્રતિનિધિ હતો. રાજા પર રાજ્ય ચલાવવાની ગણતરીએ તે કામ કરનારો હતો. એટલે એ કંઈ સરદારની જાળમાં સપડાઈ જાય એવું રાચ નહોતું. તેથી, થયેલ કોલકરાર એ એક નબળા રાજાને દબાવીને કઢાવી લીધેલી વસ્તુ નહોતી. પણ બ્રિટિશ રેસિડેન્ટને તો મહાસભા અને સરદાર આવીને રાજકોટ ઠાકોર સાહેબને આમ આર્થિક પાયમાલી અને કદાય ગાદી પણ ગુમાવી બેસવાની પરિસ્થિતિમાંથી ઉગારી લે એ ઝેર જેવું લાગ્યું. મહાસભાની આવડી લાગવગ અને માથાનો ઘા થઈ પડી, અને તેથી પોતાની પ્રજાને આપેલા વચનનો ઠાકોર સાહેબ અમલ કરે તે પહેલાં જ તેણે તેમની પાસે તેનો ભંગ કરાવ્યો. અત્યારે સરદાર પાસે જે ખબરો આવી રહી છે તે સાચી માનીએ તો અત્યારે ત્યાંના રેસિડેન્ટ બ્રિટિશ સિંહનો લાલ લોહિયાળ પંજો બતાવી રહ્યો છે અને પ્રજાને કેમ જાણે કહી રહ્યો છે કે, “તમારો રાજા મારું રમકડું છે; મેં એને ગાદી ઉપર મૂક્યો છે અને હું એને એ ગાદી પરથી ઉતારી શકું એમ છું; એ જાણે છે કે એણે મારી ઈચ્છા વિરુદ્ધ કામ કર્યું છે, તેથી હું એનું કર્યું ન કર્યું કરીશ અને પ્રજા જોડે એણે કરેલું સમાધાન તોડી નાંખીશ. અને તમે પ્રજા થઈને મહાસભા અને સરદારને પડખે ચડ્યા છો, પણ તમનેય બતાવી દઈશ કેટલી વીસે સો થાય છે તે; જિંંદગી આખી નહિ ભૂલો.”

રાજાને કેદીની સ્થિતિમાં મૂકી દઈને આ રેસિડેન્ટે હવે રાજકોટમાં કાળો કેર માંડ્યો છે. છેલ્લો તાર સરદારને આમ