આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૧
માફીનો એકરાર
હોય તો મારામાં જે તેમને ધૂન જેવું દેખાય તે પણ તેમણે નભાવી લેવું રહ્યું.
આમ ઠાકોર સાહેબને અને તેમના સલાહકારને ચુકાદાની ચૂડમાંથી મુક્ત કરી દીધા પછી હવે વગરઅચકાયે હું તેમને વિનવણી કરું છું કે, તે રાજકોટની પ્રજાની આશાઓ પૂરી કરીને અને તેના અંદેશાઓને દૂર કરીને તેને સંતોષે.
- રાજકોટ, ૧૭–૫–૩૯
- હરિજનબંધુ, ૨૧–૫–૧૯૩૯