માન. તે મુજબ તેમના અભિમાનને લીધે યાદવાના વિનાશ થયા. એક સમયે ગ્રહણને દહાડે શ્રીકૃષ્ણ ખધા ચાવાને સહ કુટુંબ લઈ પ્રભાસ પાટણ જાત્રા કરવા ગયા. ત્યાં દરીયા કાંઠે ચાદવેએ દારૂ પી અંદરો અંદર મારામારી કરી અને બધા કપાઈ મુઆ, આ લઢાઈને આપણા પુરાણુમાં ચાદવા-સ્થળી કહેલી છે. કૃષ્ણના મોટા ભાઈ ખુળદેવ આ બનાવ પછી જંગલમાં તપ કરવા ગયા, ને ત્યાં તેમનું મૃત્યુ થયું. શ્રીકૃષ્ણે થાક અને શાને લીધે દૂર પીપળાના ઝાડ નીચે સુતા હતા. તેમને એક જંગલી શિકારીએ જાનવર સમજી તીર માર્યું ને તેથી તે પણ દેવ લાક પામ્યા. જે સ્થળે શ્રી કૃષ્ણે પાતાના દેહુને ત્યાગ કર્યો તે સ્થળ આજે પણ દેહાત્સગના નામથી ઓળખાય છે. આળકા તમે જોયું કે દારૂ પીવાથી યાદવા જેવા પરાક્રમીના પણુટુંકા વખતમાં કેવા નાશ થઈ ગયા 1 માટે આપણે સર્વે- એ આવી જાતના ખરાબ વ્યસનાથી દૂર રહેવું. વાર્તા ૨. વલભીપુરના નાશ અને કાક યાઢવાસ્થળી પછી ગુજરાતમાં મૌર્ય, ક્ષત્રપ, ગુપ્ત વગેરે ઘણા વંશના રાજ્ય સ્થપાયાં ને નાશ પામ્યાં. છેવટે આશરે ઈ. સ. ૫૦૦ એટલે આજથી લગભગ ૧૪૦૦ વર્ષ ઉપર ગુર્જર પ્રજાના સેનાપતિ ભટ્ટાર્કે આ પ્રાંત પર ચઢાઈ કરી તે જીતી લીધે. અને નગર વસાવી વલ્લભીપુર