આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુરુબક્ષસીંગ ધીલોન
૧૩૫
 


એમ જણાયું છે ટૌગલીન નજદિકના ગામિડયાઓ બન્ને બાજુની માહિતીઓ પૂરી પાડે છે. તેમણે દુશ્મનો જણાવ્યું કે આઝાદ હિંદ ફોજ મોટા ભાગે એ ગામડાંઓમાં પડેલી છે. પરિણામે દુશ્મનો વધુ સાવધ બની ગયા છે. દુશ્મનની તાકાત મુખ્યત્વે ટેન્કો, રણગાડીઓ અને કેરીઅર પર છે. સામાન્ય રીતે સો કરતાં ઓછા માણસોની પાર્ટીને તેઓ બહાર મોકલતા નથી. આ પાર્ટીને લઈ જતાં વાહનોને આગળથી રક્ષણ આપવામાં આવે છે અને જ્યાં તેઓને પહોંચવાનું હોય ત્યાં તેમનાં વાહનોને પણ પૂરતું રક્ષણ આપવામાં આવે છે અને સૈન્યને કંઈ મુશ્કેલી પડતી નથી.

‘સલામતી અને સંરક્ષણ’ને અંગેનો એક જરૂરી પરિપત્ર નીચે મુજબ છે.

‘છાવણીઓમાં ઘણી નવી પગથીઓ બનાવવામાં આવી હોવાનું જણાય છે. દુશ્મનોની હવાઈ તાકાત આપણા કરતાં ઘણી હોવાથી આ પગથીઓ આપણે ક્યાં છીએ તેની ચોક્કસ માહિતી આપી દે છે. આ ભય સામે ઓફિસરો અને કમાન્ડરોએ પોતાનાં માણસોને સદા સાવધ રાખવા.

હજી પણ રાત્રિ દરમિયાન સંત્રી બા મોટા અવાજે પડકાર આપતા અથવા તો આગંતુકની તપાસ મોટા અવાજો કરતા જણાય છે. દુશ્મન જાસૂસ નજદિકમાં હોય તો તે માહિતી મેળવી જવાનો અને પરિણામે આપણી જાનમાલની ભારે ખુવારી થવાનો ભય રહે છે. દુશ્મનને માટે તે માહિતી લાભપ્રદ થઇ પડે. કમાન્ડરોએ કૃપા કરીને આ પ્રથા પર જરૂરી અંકુશ મુકવો જોઈએ.

નકલ હીકીરીકીકાનઃ
(સહી) 'જી. એસ. ધીલોન
મેજર. સી.