આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
chapter
૧૩૮
 

કમાન્ડર મંગુરામ મરાયો અને બન્ને પલટનનો માત્ર દશમો ભાગ જ બાકી રહ્યો. ગીયાનસીંગે નં. ૪ પલ્ટનના કમાન્ડર રામસીંગને બોલાવીને પાછા હઠવાનો હુકમ આપ્યા. તેને માથામાં દુશ્મનની બુલેટ વાગી અને તેનું મરણુ નીપજ્યું પણ એથી ફોજમાં કાંઈ વિક્ષેપ પડ્તો નહિ. દુશ્મનો પણ એ વખતે મૃતદેહો અને શસ્ત્રો ભેગાં કરીને વાહનોમાં પીછેહઠ કરી રહ્યા હતા. દુશ્મનની ખૂવારીમાં ૫૦નાં મરણ અને સંખ્યાબંધ ઘાયલ થયા હતા. જ્યારે આપણા ૪૦ માણસો માર્યા ગયા હતા, ૧૦ને ગંભીર ઇજાઓ થઈ હતી તેમને દુશ્મનો પડી ગયા હતા, પણ તેમની પાસેથી પાછા છોડાવી લીધા હતા.

‘એ’ પોઈન્ટ તરફ દુશ્મનોએ પહેલાં તો ગામડાં પર તોપમારો કર્યો અને ત્યારબાદ થાણા પર હુમલો કર્યો. દુશ્મનો ગામડામાં પેઠા અને ગોળીબાર શરૂ કર્યો. આપણી ફોજોએ પણ સામો જવાબ દીધો, પણ દુશ્મનોએ બેયોનેટ અને ટોમીગનથી હુમલો કર્યો. જાપાનિઝોએ આખા ગામને આગ લગાડી તેના પરિણામે દુશ્મનોની સ્થિતિ મુશ્કેલ બની ગઈ, ટેન્કો લઇ જવાનું મુશ્કેલ બન્યું એટલે ટેન્કો પડતી મૂકીને દુશ્મનોને ભાગી જવું પડ્યું. બન્ને પક્ષે ત્રણ ત્રણ જણાની ખૂવારી થવા પામી.

સાંજને છેડે ટૌંગજીન હજી અમારા હાથમાં છે. દુશ્મનોને ભાગી જવું પડ્યું છે અને વેરિવખેર થયેલી ‘બી’ ટુકડી પુનઃ વ્યવસ્થિત થઇ રહી છે.

તા. ૨૫ મી માર્ચ ૧૯૪૫નો કર્નલ ધીલોનના હેવાલ જણાવે છે કે

છેલ્લા હેવાલ પછી કોઈ ખાસ મહત્ત્વનું બન્યું નથી. જો કે બન્ને પક્ષ તરફથી નિરીક્ષક હિલચાલ વધી રહી છે.