આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નિપજે ન કશું કો તદપિ હુંપદ હરિ માયા જોર;
ત્યારે અહં મમતા ટળે, કર ગ્રહે નંદકિશોર. ૬
હું હરિનો હરિ મહારા, મનથી એવું જ થાય;
હરિ કૃપા તસ્કર વોળાવા, અહં મમ સફળ થઈ જાય. ૭
કૃતિ શુભાશુભ બલ દીપથી, પણ દીપ જેમ નિર્લેપ;
ત્યમ દયાપ્રીતમ કૃષ્ણ બલ સહુ બને ન અડે ચેપ. ૮
પદ ૯૮ મું
રચી રાખ્યું છે હરિએ જેહજી, ટળે ન કોથી નિપજે તેહજી;
ફેર પડે નહીં કોટિ ઉપાયજી, યત્ન ન ચાલે શિવ બ્રહ્માયજી. ૧
હરિકૃતિમાં જીવ હુંપદ તેવુંજી શ્વાન શકટને તાણે જેવુંજી;
જીવનું કીધું તેટલું થાયજી, મળતું આવે હરિ ઇચ્છાયજી. ૨
ઢાળ
ઇચ્છા હરિ અનુસરતું આવે, તે બને લહે જાણ;
ત્યમ નિત્ય નથી બનતું જુએ છે પ્રકટ શું પ્રણામ. ૩
જ્યમ જે સમય જેટલું જેને લખ્યું નંદકુમાર;
ત્યમ તે સમે તેટલું તેને, પ્રાપ્ત હોય નિર્ધાર. ૪
દુઃખ મૃત્યુ કો માગે ન પણ સહજે સમય સદ્ય આવે,