હરિનકસ્યપ માર લીનો, ધર્યો નાહિન ધીર;
બૂડતે ગજરાજ તાર્યો, કિયો બાહિર નીર;
દાસ મીરાં લાલ ગિરિધર, દુઃખ જહાં ન પીર;
સાજન સુધ જ્યોં જાને, ત્યાં લીજે હા,
તુમ બિન મેરે ઔર ન કોઈ, કૃપારાવરી કીજે હો;
ધોસ ન ભૂખ ન રૈન નહિ યૂંતન, પલપલ છીજે હો,
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર મિલે બિછરન નાહિં કીજે હો.
મીરાંબાઈના ગ્રંથ
મીરાંબાઈ એ ભક્તિમાર્ગના અનેક ગ્રંથ બનાવ્યા છે. એણે નરસિંહ મહેતાનું મામેરું હિંદી ભાષામાં લખ્યું છે.
બીજો ગ્રંથ ગીતગોવિંદની ટીકાનો છે.
ત્રીજો ગ્રંથ રાગગોવિંદ નામનો છે. એ ગ્રંથ પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા શ્રી. ગૌરીશંકરભાઈને મળી આવ્યો છે. મીરાંબાઇની કવિતા સંબંધી એ વિદ્વાન લખે છે કે, “મીરાંબાઈની કવિતા ભક્તિરસથી ભરેલી છે, એમાં ઈશ્વરપ્રેમ અને વૈરાગ્ય ઝળકી ઊઠે છે; તેની કવિતાની વાણી કોમળ, મધુર અને રસિક છે.”
મીરાંબાઈના ભજન
મીરાંબાઈનાં ખરેખરાં ભજનો શોધી કાઢવાનું કામ ઘણું કઠણ છે તે અમે ઉપર જણાવી ગયા છીએ. જોધપુરના પુસ્તકભંડારમાંથી તથા અન્ય વિદ્વાનોના પુસ્તકાલયમાંથી મુનશી દેવીપ્રસાદજીએ મેળવેલાં કેટલાંક ભજનો અમે નીચે ઉતારીએ છીએ:
(કાફી)
આજ અનારી લે ગયો સારી, બેઠી કદમકી ડારી, હે માય.
મારે ગેલ પડ્યો ગિરિધારી, હે માય, આજ.
મૈં જલ જમુનાં ભરન ગઈથી, આ ગયો કૃષ્ણ મુરારી, હે માય.
લે ગયો સારી અનારી મારી, જલમૈં ઊભી ઉઘારી, હે માય.
સખી સાઈનિ મોરી હસત કૈં, હસિહસિ દેમોહિ તારી, હે માય.