આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૧૧
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? ઝાંપો વાસીને ડોશીમા સૂતાં હતાં. તેવામાં કોઈએ સાદ પાડયો : "ટાઢે ઠરી જાઉ છું, માબાપ ! ઘરમાં રહેવા દેશો ?” ડોશીને દયા આવી. "આવ, દીકરા ! અહીં સૂઈ રહે.” "ડોશીમા ! ભગવાન તમારું ભલું કરજો.” દયાળુ ડોશી (ટૂંકીમાંથી લાંબી બનાવેલી વાર્તાનો નમૂનો) એક હતી ડોશી. ૧૧૧ એ બહુ દયાળુ હતી. ડોશી તરસ્યાંને પાણી પાય, ભૂખ્યાંને રોટલો આપે ને ભૂલાં પડેલને મારગ બતાવે. આડોશીપાડોશી કોઈ માંદુ પડે તો ડોશીમાનો જીવ એવો કે રાત ને દી એના ખાટલા આગળથી ખસે જ નહિ. ડોશી એવાં ભલાં કે મરતાંને પણ મર ન કહે. કોઈ રાંકભીક જે આવ્યું તે એને ઘેરથી પાછું તો જાય જ નહિ. ગજાસંપત જે હોય તે ડોશીમા એને આપે ને એની આંતરડી ઠારે. ભર ચોમાસું ચાલ્યું જતું હતું. અરધી રાતે એકવાર વરસાદ તૂટી પડયો. નેવામાં પાણી તો કાંઈ માય નહિ. વીજળી તો સબાક સબાક થાય, ને કડાકા તો એવા કે આકાશ જાણે હમણાં જ તૂટી પડશે.