દિવાસ્વપ્ન
ગિજુભાઈ બધેકા
પ્રકરણ-૧.૧ →



ગિજુભાઈ-સન્માન-થેલી પ્રકાશનમાળા, પુસ્તક ૧ લું


દિવાસ્વપ્ન.
(શિક્ષણના પ્રયેાગની વાર્તા)





Black Swastik
Black Swastik






સ્વ. ગિજુભાઈ


કિંમત-૧-૦-૦

ગિજુભાઈ-સન્માન-થેલી પ્રકાશનમાળા, પુસ્તક ૧ લું


દિવાસ્વપ્ન.
(શિક્ષણના પ્રયેાગની વાર્તા)


લેખક: સ્વ. ગિજુભાઈ



પ્રકાશક :
ગુજરાત બાલવિકાસ સંસ્થા
અમદાવાદ



સોલ એજન્ટ્સ:
ધી મહાગુજરાત પબ્લિશિંગ, કંપની લિ.
ફિરોઝશા મહેતા રોડ, કોટ, મુંબઈ


કિંમત-૦-૧૨-૦

પ્રકાશક :
વજુભાઈ દવે
મંત્રી, ગુજરાત બાલવિકાસ સંસ્થા
જૂનું ટોળકનગર, અમદાવાદ




આવૃત્તિ-રજી
પ્રત-૭૫૦
જાન્યુઆરી, ૧૯૪૩




મુદ્રક :

રણછોડભાઈ વહેરીભાઈ પટેલ
રા. પૂ. આર્યપ્રકાશ પ્રેસ

આણંદ

નિવેદન

સ્વ. ગિજુભાઈ બધેકા શ્રીદક્ષિણામૂર્તિ વિદ્યાર્થિભવન, ભાવનગરમાં વીસ વર્ષની આજીવન સ્વયંસેવક તરીકેની સેવા પૂરી કરી નિવૃત્ત થયા તે પ્રસંગે તેઓના વિદ્યાર્થીએાએ, પ્રશંસકોએ અને મિત્રોએ અમદાવાદમાં એક સન્માનસમારંભ દરબારશ્રી ગોપાળદાસ દેસાઈના પ્રમુખપણા નીચે યેાજી એક થેલી એમને અર્પણ કરેલી. તે પ્રસંગે સ્વ. ગિજુભાઈએ આ થેલી 'બાલસન્માન વિધાપીઠ' (Children's Academy)ના પ્રથમ ફાળા તરીકે અર્પણ કરવાની ઇચ્છા જણાવી હતી; પરંતુ ત્યાર બાદ તેઓએ 'ગુજરાત બાલવિકાસ સંસ્થા'ની યોજના તૈયાર કરી, અને તે કામ નીચેની સમિતિ નીમી તેમને સોંપ્યુંઃ–

પ્રો. શ્રી. રામનારાયણ વિ. પાઠક, પ્રમુખ, અમદાવાદ

,, શંકરભાઈ સોમાભાઈ પટેલ, વડોદરા
,, સેમાભાઈ કીશાભાઈ પટેલ, સુણાવ
,, નરેન્દ્ર ગિજુભાઈ બધેકા, ભાવનગર
,, ઈન્દુપ્રસાદ દેવશંકર ભટ્ટ, અમદાવાદ
,, સેમાભાઈ ભાવસાર, અમદાવાદ
,, લીલાવતી ખાંડવાળા, મુંબઈ
,, શંકરભાઈ રતિલાલ શાહ, નડિયાદ
,, વજુભાઈ દવે, અમદાવાદ

આ સમિતિ પોતાનું કામ શરૂ કરે તે પહેલાં તેઓનું દુઃખદ અવસાન થયું. તે પછી તે થેલીની રકમ મેળવવા માટે કાયદા પ્રમાણેની તજવીજ કરવામાં આવી. તે કામનો નિકાલ તા. ૫-૩-૧૯૪૨ના રોજ થતાં થેલીનાં નાણાં સમિતિને મળી ગયાં. બાદ થેલીનાં નાણાંની વ્યવસ્થા કરવા માટે સમિતિની સભા તા. ૮-૩-૪રના રોજ થઈ. તેમાં પ્રકાશન બાબતમાં નીચેનો ઠરાવ થયો:

પુસ્તકપ્રકાશનનું કાર્ય હાથ ધરવું, તેમાં પહેલાં શ્રી, ગિજુભાઈનાં શિક્ષણવિષયક અપ્રાપ્ય પુસ્તકો તથા તેઓનાં અપ્રગટ બાલસાહિત્યનાં પુસ્તકો પ્રગટ કરવાં.

આ ઠરાવ થયા પછી 'ગુજરાત બાલવિકાસ સંસ્થા'ને સ્વ. ગિજુભાઈના સુપુત્ર ભાઈ નરેન્દ્રે યોગ્ય શરતોથી ગિજુભાઈનાં લખેલાં પુસ્તકોનું પ્રકાશન કરવાની અનુકૂળતા કરી આપી. તેથી આ પ્રવૃત્તિનો આરંભ 'દિવાસ્વપ્ન'ની બીજી આવૃત્તિના પ્રકાશનથી આજથી શરૂ થાય છે. ઉપરના ઠરાવ મુજબ બીજાં પુસ્તકો પ્રગટ કરવાનું કામ અનુકૂળતા પ્રમાણે ચાલુ રહેશે. અંતમાં સ્વ. ગિજુભાઈએ કલ્પેલું 'બાલસન્માન વિધાપીઠ' નું સ્વપ્નું વહેલું સાચું પડે એવી પ્રાર્થના કરીએ છીએ.

તા. ૩૧-૧૨-૪૨

અમદાવાદ
}
મંત્રીઓ
ગુજરાત બાલવિકાસ સંસ્થા


બીજી આવૃત્તિની પ્રસ્તાવના

'દિવાસ્વપ્ન' રજૂ થયાં વર્ષો થયાં, તે હવે સ્વપ્ન નથી રહ્યું; સારાયે ગુજરાતના બાલશિક્ષણને આ પુસ્તકે નવો અવતાર આપ્યો છે. આવતા રાષ્ટ્રીય પુનર્રચનાના કાર્યમાં 'દિવાસ્વપ્ન' નવો રાજમાર્ગ દર્શાવતું તેજ પાથરશે એવી માન્યતા હોવાથી તેને ફરીથી પ્રસિદ્ધ કર્યું છે. ગુજરાત આ પ્રયાસને આદર આપશે જ એવી આશા અસ્થાને છે ?


બે બેાલ

મને કોઈએ કહ્યું કે ભારેખમ તાત્ત્વિક લેખોને બદલે વાર્તારૂપ શૈલીમાં શિક્ષણના વિચારોને લખો તો !

મને પ્રયત્ન કરવાની પ્રેરણા મળી અને ફળ રૂપે આ 'દિવાસ્વપ્ન' આવ્યું.

દિવાસ્વપ્નોનું મૂળ વાસ્તવિક અનુભવ હોય તો તે મિથ્યા નથી જતાં. આ દિવાસ્વપ્ન મારા જીવંત અનુભવોમાંથી ઊપજ્યું છે, અને મારી ખાતરી છે કે પ્રાણવાન ક્રિયાપ્રધાન કલ્પક શિક્ષકો પોતાને માટે પણ તે વાસ્તવિક કરી શકશે.

મને આવાં દિવાસ્વપ્નો બહુ આવી ગયેલાં છે. જે શિક્ષકને તેમાં વિહરવાની, અને તેમાંથી વાસ્તવિક જગત રચવાની મજા આવશે તો હું તેમને તે આપવાની મારી ફરજ સમજીશ.

હાલ તો આટલેથી બસ.

ગિજુભાઈ
માર્ચ, ૧૯૩૧


પ્રવેશક

જરાક કલ્પના હોય, થોડીએક વિચાર કરવાની શક્તિ હોય અને અદ્યતન સાહિત્યનો સારો એવો પરિચય હોય તેવા માણસ માટે કેળવણીકાર બનવું સહેલું છે. ગિજુભાઈ કેળવણીકાર તરીકે જાણીતા છે. દક્ષિણામૂર્તિની સંસ્થામાં કામ કરતાં કરતાં કેળવણીના ક્ષેત્રમાં નવા વિચારોને નવી રીતે તેમણે મૂક્યા કર્યા છે. ગુજરાત આખું એમને કેળવણીકાર તરીકે તો એાળખતુ થયું જ છે.

કેળવણીના વિચારોને મૂર્ત સ્વરૂપ આપવું, શિક્ષણની અનેકવિધ પદ્ધતિઓની યોજનાઓ કરી કેળવણીના સિદ્ધાંતેને તેવી પદ્ધતિઓ દ્વારા સાક્ષાત્કાર કરવા કરાવવા, અને પોતાના જાતદૃષ્ટાંતથી તેના અમલ તરફ શિક્ષણના ધંધામાં પડેલાઓને વાળવા તે કામ શિક્ષણ- શાસ્ત્રીનું છે, કેળવણીકાર આવા શિક્ષણશાસ્ત્રી ન બને ત્યાં સુધી કેળવણીના તેના વિચારો માત્ર વિચારો જ રહે છે. ગિજુભાઈ આવા

એક શિક્ષણશાસ્ત્રી પણ છે. ગુજરાતે તેમને એક સદ્ધર શિક્ષણશાસ્ત્રી તરીકે જાણ્યા છે, પણ હજુ પિછાન્યા નથી. તેમની પાસે આવીને મૉન્ટેસોરી પદ્ધતિનાં તત્ત્વ અને વ્યવહારનું શિક્ષણ લઈ જનારાં ગુજરાત-કાઠિયાવાડનાં શિક્ષક ભાઈબહેનો સિવાય બીજા થોડાક જ લોકોને તેમનો એક સરસ શિક્ષણશાસ્ત્રી તરીકેનો પરિચય છે. તેમણે શિક્ષણશાસ્ત્ર ઉપર લખ્યું છે; પણ તેમના લખાણને પ્રાથમિક શિક્ષણના પ્રદેશ પૂરતો નિચોડ આપવાનો જે કોઈ રસિક અને સુંદર પ્રયત્ન આજ દિવસ સુધી થયો હોય તો તે તેમનું આ 'દિવાસ્વપ્ન' છે.

આ પુસ્તકનું નામ ગિજુભાઈએ 'દિવાસ્વપન' રાખ્યું છે. એ નામનો અર્થ તો એટલો છે કે આ પુસ્તકમાં જે જે વસ્તુઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે બધું ય આજના પ્રાથમિક શાળાના શિક્ષકનું દિવાસ્વપ્ન બને. ગિજુભાઈને માટે એ દિવાસ્વપ્ન નથી રહ્યું. તેમણે કોઈ પ્રાથમિક શાળા ચલાવી ન હોય પરંતુ બાલશિક્ષણની બાબતમાં શિક્ષણપદ્ધતિના જે અટલ નિયમોનો અમલ તેઓ આજે પોતાના બાલમંદિરમાં કરી રહ્યા છે તે નિયમોને પ્રાથમિક શાળામાં બંધ બેસતા કેમ કરી શકાય એ સંબંધોનો પોતાનો વ્યવહારુ વિચાર તેમણે આ પુસ્તકમાં રજૂ કર્યો છે. ગુજરાત-કાઠિયાવાડના પ્રાથમિક શાળાના શિક્ષકો આ દિવાસ્વપ્નને પોતાનું બનાવે તો સ્વપ્નનો સાક્ષાત્કાર કરવાની ઝંખના તેમના અંતરમાં ખડી થાય તેવું એ મીઠું ને મધુર દિવાસ્વપ્ન છે.

આજની પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષણ અપાય છે તે શિક્ષણની પદ્ધતિઓ બાળકોને નુકસાન કરનારી છે. આજના શિક્ષણનું માપ પરીક્ષાઓ, ઇનામ અને હરીફાઈથી કાઢવામાં આવે છે. આજનાં શિક્ષણનાં પરિણામો વેરઝેર, મારામારી, અશાંતિ અને અવ્યવસ્થામાં આવે છે. એ બધાનો અત્યંત મનોહર ચિતાર આ વાર્તામાં આપણને મળે છે, પરંતુ લેખક એ બાબતોનો કરૂણ ચિતાર

આપીને જ નથી બેસી રહેતા. બાલશિક્ષણમાં આજે પ્રવર્તી રહેલી એ કરુણતાનો ઉકેલ એટલો જ સરસ અને મનોહર રીતે તેમણે રજૂ કર્યો છે. એ ઉકેલ લાવવા માટે શિક્ષકનામાં જે 'હૈયાઉકલત'ની જરૂર છે તે હૈયાઉકલત કેવી હોય તેનો આબાદ ચિતાર આ પુસ્તકમાં આપણને જોવા મળે છે. પ્રાથમિક શાળામાં જે ગંદકી, જે ઘોંઘાટ અને જે અવ્યવસ્થા આપણને નજરે આવે છે તે બધું હૈયાઉકલતવાળા શિક્ષકની જાદુઈ લાકડી અડતાં આપોઆપ જ જાણે કે ઊડી જાય છે ને તેને સ્થાને સ્વચ્છતા, વ્યવસ્થા અને શાંતિ ગિજુભાઈના વર્ગમાં આવીને ગોઠવાઈ જતાં આપણને દેખાય છે. શિક્ષકને પોતાના કામમાં શી શી અડચણો આવવાની છે તેનો આબેહૂબ ખયાલ પુસ્તક લખતી વખતે લેખકની નજર આગળ રહેલો દેખાય છે. આજનો સમાજ કેવળ રૂઢિચુસ્ત છે. નાના એવા ફેરફારોને પણ ભયની નજરથી જુએ છે. પોતાનાં બાળકોની કેળવણી માટે માબાપો અક્ષમ્ય બેદરકારી સેવે છે. શિક્ષકોને હેડમાસ્તર, ઉપરી અને ઉપરીના યે ઉપરીને ડર ઊંઘમાં પણ રહ્યા કરે છે; અભ્યાસક્રમ અને પરીક્ષાની બેડીઓમાંથી શિક્ષક કે બાળકો જરા પણ ચસકી શકતાં નથી. આ બધી વસ્તુઓ લેખક બરાબર સમજે છે, અને તેથી જ ધીરજ અને શાંતિપૂર્વકના પોતાના અવિરત કાર્યબળથી એ મુશ્કેલીએાને ઓળંગી જવાનું માર્ગદર્શન સચોટ રીતે આપણને તે કરાવી શક્યા છે.

આખા પુસ્તકમાં એક ખૂણામાં ભરાઈ રહેલા એક અત્યંત મહત્ત્વનો વિચાર આ પુસ્તક વાંચનારાઓ પાસે રજૂ કરવો એ મને મિત્રધર્મ દેખાય છે. આપણી ગમે તેટલી સુંદર આશાઓ હોવા છતાં પ્રાથમિક શાળાના ખુદ શિક્ષકમાં જ્યાં સુધી સ્વભાવફેર કરી નાખવામાં આવે નહિ ત્યાં સુધી આપણા અખતરાઓ ને પ્રયેાગો કરવાનું સાચું સામર્થ્ય સાંપડવાનું નથી. ગિજુભાઈના હૃદયને આ વાત બરાબર ડંખતી દેખાય છે. એટલે જ શિક્ષકનામાં તેના

અનુક્રમણિકા

ખંડ - ૧

ખંડ - ૨

ખંડ - ૩

ખંડ - ૪