આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૭૮ આત્માના આલાપ જઈને જયાં. આમ તેઓ તેને લઈ ગયા પછી જ પ્રદીશ્વરના મામાનાં પત્ની પુદુકેટે પાછાં ગયાં. ત્યાં સુધી તેમણે જ મહુરમની રાત-દિવસ સંભાળ લીધી. નાગમંગલમ ગયા પછી શરીર વળ્યું હેવાનું, ગયા અઠવાડિયે તેને જોવા ગયેલા પ્રહદીશ્વરન મામાએ આવીને કહ્યું. તમારે સીધા નાગમંગલમ જવું જોઈએ. જો શક્ય હેય તે આશ્રમ જઈને પ્રહદીશ્વર મામાને સાથે લઈ જજે. તમને જોતાંની સાથે જ મદુરમમાં પહેલાંને ઉત્સાહ પાછો આવશે. તેની આવી સ્થિતિ થવાનું કારણ તમે જ છે. આ બધું બનવું જોઈતું ન હતુ ; પણ બની ગયું. ઈશ્વર પણ આવા સારા માણસની પરીક્ષા કરે છે. મહાલક્ષ્મી જેવી આ સ્ત્રી હાડકાંને માળા બની ગઈ. હવા તેની જીવાદોરી તમારા હાથમાં જ છે –' રામૈયાએ કહ્યું. આ બોલતાં બેલતાંમાં તે રામૈયાની આંખે ભરાઈ આવી.