આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૦ આમાના આલાપ બધાંનાં હૈયાંને અત્યંત કરુણ આક્રંદ કરાવનાર મૃત્યુની શક્તિની હું કપના પણું કરી શક્યો નહિ. મૃત્યુએ તેને કરાળ પંજો ઉગામ્યો ન હેત તે, એવું મને થયું. રહસ્યમય સિમત કરતાં જાણે નીંદ્રામાં પોઢી ગયા ન હોય એ તેમને ચહેરા હારની વરચે જણાતો હતો. તેમની ચોપાસ ઊભેલા માણસ જાણે પિતાનું હલનચલન ભૂલી ગયા હોય, એવા જડ બની ગયા હતા. માથાની એક તરફ એક માણસ ગીતાનું પારાયણ કરતે હતો તો બીજી બાજુ બીજે તિરુવાચકમનું વાંચન કરતા હતા. અગરબત્તી એ સળગાવી હતી. નતમસ્તકે માણસે આવતા હતા, હાર પહેરાવતા હતા. નમન કરતા હતા. અને પાછા ફરતા હતા–કેટલાંક હૈિયાફાટ રડતાં હતાં તે કેટલાંક હૃદયમાં રડતાં હતાં. આશ્રમમાં તેમના ખંડમાં પ્રવેશતાંની સાથે જ “સત્યાગ્રહ એ દરેક કાળમાં પ્રબળ હથિયાર છે. સત્યાગ્રહી કદી હાર નથી – ગાંધીજીના ફેટાની નીચે લખેલાં આ વાક્યો નજરે પડચાં. આજે જ તે વાકયોને અર્થ. ઘટન વિસ્તરત જશું. તેમને હાર પહેરાવી, ચરણસ્પર્શ કરી હું બાજુએ ઊભો રહ્યો ત્યાં મારા કાને “હવે આપણે ક્યારેય ફરી મેળવીએ નહિ એવા નેતાઓ આપણે ગુમાવી રહ્યા છીએ – પવિત્ર હદયે ધીમેથી બેલાયેલા એક અગ્રગણ્ય નેતાના શબ્દ મારા કાને પડયા. પ્રધાને, અગ્રગણ્ય, દેશભક્તો, શિક્ષણશાસ્ત્રીઓ, એક પછી એક આવીને હાર પહેરાવી નમસ્તકે એક તરફ ઊભા રહ્યા. મેં સંકેચ સાથે કેટલાક ફોટા પાડ્યા.. | સાંજે પાંચ વાગે આશ્રમને એક ખૂણામાં અગ્નિસંસ્કાર થયો. ઘણું દિવસ પહેલાં તેમણે વ્યક્ત કરેલી ઇચ્છા મુજબ આશ્રમમાં છેલ્લા દાખલ થયેલા એક નાના અનાથ બાળકે તેમને અગ્નિદાહ કર્યો. એક શાકસભા ભરાઈ. વડના પવનના સુસવાટા, સુખડના સુગંધવાળા અગ્નિદાહના ધુમાડા, અને દુઃખની ઘેરી લાગણું વચ્ચે આશ્રમની