આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૫૦ આત્માના આલાપ જોતાં અને પોતે પણ તેઓની વચ્ચે છે, એ જોઈને તેણે ગૌરવ અનુભવ્યું. તેને મનમાં શાંતિ થઈ. ત્યાં આવેલા બધા જ મા–બાપ, પત્ની, બાળકે તેમ જ પરિ વારનું પ્રેમબંધન મૂકીને દેશને આઝાદ કરવા માટે અહીં જેલમાં આવીને દુઃખ ભોગવતા હતા. એ જોઈને આવી એક મહાન માતાના. દુખે પિતાની માની જેમ એ અનેક માતાઓ દુ:ખી થતી હશે, એવો વિચાર આવતાં તેણે કંઈક રાહતની લાગણું અનુભવી. મુક્તિ કુલપન અને ગુરુસામીને ક્યાં લઈ ગયા હશે, એ અંગે તે કઈ અનુમાન કરી શક્યો નહિ. કદાચ બેલૂર કે ત્રિચિ લઈ ગયા હેય, નાગપુર કે બેલ્લારીની જેલમાં લઈ જવા જે તેમને મેટે ગુને ન હતો. તેમના કરતાં મોટા ગુનાવાળા બધા કેદીઓ વેલૂરની જેલમાં જ હતા, જેલમાં આપવામાં આવતું બાવટાનું ખીચું આ પહેલી વાર ખાવાથી ઊલટી થશે એવું તેને લાગ્યું. પરંતુ સારું ભોજન. લઈ શકે એવી સ્થિતિવાળા મોટા મોટા નેતાઓને પણ આ જ ખાતા જોઈને તેણે મન પર કાબૂ મેળવવા પ્રયત્ન કર્યો. સહ કેદી. એમાંના એક ઉંમરલાયક ભાઈ વૈદારણ્યમાં મીઠાના સત્યાગ્રડમાં પકડાયા હતા. તે વિદ્યારણ્યને બના વોનું વર્ણન કરતા હતા. એ સાંભળવામાં રાજારામનને અત્યંત આનંદ આવતું હતું. તેમની પાસે ગીતા હતી. સાંજે શેડો સમય તે ગીતા સમજાવતા હતા. ગીતા સાંભળીને રાજારામન રાહતની લાગણી અનુભવતે, ભારતમાતાના આ મહાન ગ્રંથની રચના યુદ્ધ સમયે જ થઈ છે ' તેમણે ગીતાનું રહસ્ય સમજાવતા આમ કહ્યું, ત્યારે રાજારામનના આનંદની અવધિ રહી નહિ.. “અત્યારે આપણે ખેલી રહ્યા છીએ તે પણ એક ધર્મ યુદ્ધ જ છે. આમાં ગીતા ગાંધીજી છે, સંકોચ, પ્રેમબંધન – બધાંને ત્યાગ કરીને આપણે આ ધર્મયુદ્ધમાં ઝંપલાવવાની હિંમત કરી છે, તેની .