આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાના આલાપ ૫૫ તેમને પૂછીને જાણવા જેવી ઘણી બાબતે પિતે પૂછી જ નથી, એ તેણે અત્યારે યાદ આવ્યું. મુત્તિરૂલપન અને ગુરુસામી એ બંનેની વિગતો, વાંચનાલયના સમાચાર, પિતાની સાથે મંદિરના ચેકના દરવા જ આગળથી પકડાયેલા બે સત્યાગ્રહીઓ વિષે મેં કાંઈ પૂછવું નહિ, એ વાત અત્યારે યાદ આવી. પિતે આવ્યું નથી એ જાણશે ત્યારે માને કેટલી વેદના થશે. આ આઘાત માથી જીરવી શકાશે નહિ, એ તે જાતે હતે. “તારી માને તું એકને એક દીકરો છે, તે તારે જવું જ જોઈએ, એમ મને લાગે છે. પંદર દિવસ માટે પેરોલ પર જઈ આવી પ્રહદીવરને કહ્યું. તેમણે આ કહ્યું ત્યારે પોતે જઈ આવવું જોઈતું હતું એવું તેને લાગ્યું. માને પિતાના પર કેટલું હેત છે, એ વાત તેણે તેમને આખો દિવસ ફરીફરીને કરી. મન પર કાબૂ રાખવા તેણે ઘણે પ્રયત્ન કર્યો, પણ તેમાં તેને સફળતા મળી નહિ. તેના મનની આ પરિસ્થિતિ સમજીને પ્રહદીશ્વરને આ કહ્યું હતું. પિતાની દુકાન રેઢી મૂકીને, વેલૂર સુધી મને શોધતા આ વેલ સેનીભાઈને માટે આભારની લાગણું પણ મેં વ્યક્ત કરી નહિ, એ યાદ આવતાં ઉતાવળ અને મુશ્કેલીના સમયે માણસ ચુત થાય છે, એને તેને ખ્યાલ આવ્યો. ઘર અને માની આસપાસ ભમી રહેલા મને તે દિવસે સાંજે પ્રહદીશ્વરને વર્ગમાં ગીતો પર કરેલા પ્રવચનથી જરા રાહતની લાગણી અનુભવી. મેડી રાત સુધી કંતાન પર તે ન ઊંઘતાં બેસી રહ્યો. બીજ સત્યાગ્રહી કેદીઓ ગમે તેમ ઊંઘતા હતા ત્યારે રાજારામનના મનમાં મા મને મૂકીને ચાલી જશે” એ દુઃખ પ્રબળ બન્યું અને તે સહન ન થયું. એ વખતે પ્રહદીશ્વરને એક મોટા ભાઈની મમતાથી તેના માથા પર હાથ મૂકીને આશ્વાસન આપ્યું.