આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બળ દેખાડે બહુ પરે[૧], શિરે[૨] સામર્થ્ય તે ઘટે. ૬
જેમ અગમ અગાધ અનંત અંબરા[૩], તેમ વસ્તુ અનંત અપાર;
તેને શ્યા સરીખો કહે કવિજન,કહેવું બુધ્ધિઅનુસાર. ૭
જેમ મૃતકની[૪] ગત જાણે મૃતક, જે જન જીવિતિયો[૫] ટળ્યો;
તેમ જ્ઞાનીની ગત જ્ઞાની જાણે જ્ઞાતા, જે અંતરમાં પાછો વળ્યો. ૮
ભાઇસાને સમજે સંત શૂરા, પણ કર ગ્રહીને નથી આલવા;
એ તો પોતે હુંકારો દે પોતાને, તો જાય કેહને ઝાલવા. ૯
તો કહે અખો સહુકો સુણો, અકળ કળા મહંતને;
મરી જીવ્યાનો મર્મ લેવા, સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦
કડવું ૨૪ મું – જીવને અહંકાર સ્વરૂપની ઉત્પત્તિ
વળિ કહું એક અપૂર્વ સારજી, વણક્રમે[૬] હોય પંથનો પારજી;
જહાં ન લાગે શબ્દ ઉચ્ચારજી, તે જાણવો બોલણહારજી. ૧