તે કાષ્ઠ નોહે કશાનું [૧] નોહે, કરે તે ઘોર અંધાર;
દારૂનાં દલથકી ટળ્યો, અને ઝળક્યો નહિ ઝાતકાર[૨]. ૫
તેમ શૂન્યવાદીને સત્તા ખરી, પણ આતમ નહિં ઉદ્યોત[૩] ;
કથે પણ તેહનો ક્લેશ ન ટલે, જેહવી ચિત્રામણની[૪] જ્યોત. ૬
જેમ ચિત્રદીપ દીસવા લાગે, પણ અજવાળું નવ થાય;
તેમ શૂન્યવાદી સર્વનાશ કહે, પણ મૂલ-મહિમા[૫] ન પ્રીછાય. ૭
તે પ્રપંચને મિથ્યા કહે, પરમાત્માને કહે નથી;
કર્મ ધર્મને તે પરઠે,કહે જગત સર્વે શૂન્યથી. ૮
કહે શૂન્ય ઉપજે શૂન્યે સમાયે, શૂન્યમાંહે સહુ સ્થિતિ કરે;
શૂન્યમાં આશય છે તેહનું, કહે મુઓ ફરી નહીં અવતરે. ૯
કહે અખો શૂન્યવાદી, ન પામે મૂલ-તંતને;
પ્રભુ પરમારથ તેહજ પામે, જે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦
કડવું ૨૬ મું - શૂન્યવાદીનો વિતંડાવાદ
હવે કહું અધમ એ શૂન્યવાદીજી, જેને શૂન્યની શુધ્ધ ન લાધીજી;
પ્રપંચ ન ટળ્યો નિંદા વાધીજી, તેણે મિથ્યા બુધ્ધિ સાધીજી. ૧