મીંમાંસા કહે જો જીવ નોહે, સ્વર્ગભોગ કોણ ભોગવે?
પુરંજન[૧] પ્રાયેજ છે, તો સંસારને રહ્યા જોગવે[૨]. ૯
કહે અખો શાસ્ત્ર સઘળાં, સત્ય થાય જંતને;
નિર્વાણપદ[૩] તોજ પ્રગટે, જો સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦
કડવું ૩૧ મું- શાસ્ત્રોના મતો
વૈશેષિક કહે જંત વિશેષજી, જંતવિના નોહે ના વેષજી;
એમ તે ગણે ગુણના લેખજી, કોણે ન હોય જીવનો ઉવેખજી[૪].
નોહે ઉવેખ એહનો, સહુજ દેખે દેહને;
હવે કહું સિધ્ધાંત મોટું, સાંખ્ય બોલે તેહને. ૧
સાંખ્ય સંખ્યા કાઢે તત્વની, જીવકેરૂં રૂપ કહે;
કહે માયા એ મલિન બ્રહ્મ છે, કર્મ ભારને તે વહે. ૨
માયા કેરો સંગ છુટે, તોય પ્રાય શિવ તે છે સદા;
આવર્ણના વિક્ષેપમાટે[૫], ભોગવે છે આપદા. ૩
વેદાંત કહે છે વાત મોટી, એ તો અજા રમે છે અણછતી;
કર્તા કારયિતા[૬] એજ માયા છે, દીસે છે જાતી આવતી. ૪
એ તો માયાને માયા ફુરી[૭] છે, કર્મ જીવ ને ફળ અજા;
જે જે કર્તવ્ય તે માયાનું,જો ધર્મની બાંધે ધજા. ૫
એ મૂલ મત ખટ દરશનનું, શાસ્ત્રકેરૂં કહિયું રદે;
અર્વાકી[૮] તેહના ઉપાસક, તે તો મનના મત બહોળા વદે. ૬