આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જીવ થાપ્યો મત સઘળે, પછે આચરણ અળગા આચર્યાં;
જીવરૂપે માના ઉદરથી, અળગા કો નવ નીસર્યા. ૭
સાંખ્યને આંખ્ય પા વસાની, જો ચાલે તો ચાલી શકે;
વેદાંતને વાટ સૂજે સુધી[૧], જો માયા મુખથી નવ બકે. ૮
એક એક માંહોમાંહે ખટપટે, હારદ[૨] હેત મળે નહીં;
મધ્યે બેઠી માયા મોટી, તે અપત્યને[૩] રાખે અહીં. ૯
કહે અખો સહુકો સુણો, એમ સમજ છે મહંતને;
એહનું હારદ તો હાથ આવેમ જો સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦
કડવું ૩૨ મું - મુમુક્ષુને સત્સંગની તૃષ્ણા
કારજ થાય ને ગહેન[૬] પલાયે, જ્ઞાન યથાર્થ ઉપજે;
નિર્મલ નેત્ર તે કરે હરિજન, જો ભાવે સંતજનને ભજે. ૧
ભાઇ ભાવ ન ઉપજે જ્યાંહાં લગે, તૃષાવંતનેય[૭] જેમ તોયનો[૮];
ભાવવિના પુંથલી-તન[૯]-જેવો, કહાબે નહી તે કોયનો. ૨
ભાઇ રતિવિના[૧૦] રામ નવ મળે, ખરી કીધા વિના ખેપ[૧૧]
જેમ પિપાસા[૧૨] જાયે પાન કીધે, શું હોય કીધે જળ-લેપ[૧૩] ૩