આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મેળ[૧] ન દે એ માયા મધ્યથી, જેમ જેમ થાએ ભંગ[૨]. ૬
જેમ તેલ કુસુમેકરી[૩] વાસિયે [૪], તેણે સઘળે તે લાગે વાસ;
તે મધ્ય આવે કાંકરી, તેને ન આવે આભાસ. ૭
જેમ સલિલ[૫]-મધ્યે શિલા રહે, પણ અંતર ન ટળે આગ્ય[૬];
તો નીર તેહને શું કરે, જો ભેદવા નહીં જાગ્ય[૭] ૮
જેમ ચંદનને ગંધે કરી, થાએ ચંદન આક[૮] પલાશ[૯];
પણ ગાંઠ હોયે રુદે વાંસને, તેહને લાગે નહિ વાસ. ૯
કહે અખો હરિ-રુપા હોએ, તો સમું પડે તે જંતને;
દોષ-દરશન નવ હોએ, જે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦
કડવું ૩૪ મું - સત્સંગની આર્તિ અને સંતના ગુણ.