આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જે મેહેરામણથી[૧] બહાર નાવે, તેતાં ઠાલી રહે ખરી;
તેમ હરિ ગુરુ સંતને જે ન સેવે, તે ન પામે નિશ્ચે હરિ. ૪
તેજ વૃષાનાં[૨] બિંદુ બીજાં, પડે અહિના[૩] મુખવિષે;
તેહ હલાહલ[૪] થ ઇ નીવડે, તેણે મૃત્યુ પામે જે કો ભખે. ૫
સંત-ચન તે કહે યથારથ, વાંકું ગૃહે ખલબુધવડે[૫] ;
પાત્રયોગે ભલો ભુંડો, ક્ષેત્રનો વહેરો પડે. ૬
નિર્મલ બુધે સંત સેવીયે, તો ઉપજે નિર્મલ જ્ઞાન;
મનસા વાચા કર્મણાએ, રાખો હરિ વિષે ધ્યાન. ૭
જેમ કુંઝી [૬] મૂકે ઈંડાંને, તે દૂર જઇ ચારો કરે;
તેની સુરત્ય રહે માંહોમાંહે, તો અપત્ય ત્યાંથી ઉછરે. ૮
વણસેવેસેવ્યા વિના. સેવાય બાલક, જેને કૃપા આવે ગુરુ તણી,
તેમ સુલક્ષણાને મળે શ્રીહરિ, તેનું મન રહે ગુરૂચરણભણી. ૯
કહે અખો સહુકો સાંભળો, એ કહ્યું છે બુધ્ધવંતને;
જે સુણતામાંહે ઝડપે વચનને, તે સેવે હરિ-ગુરુ-સંતને ૧૦
કડવું ૩૫ મું - સત્સંગના ફળનું વર્ણન