આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે મેહેરામણથી[૧] બહાર નાવે, તેતાં ઠાલી રહે ખરી;
તેમ હરિ ગુરુ સંતને જે ન સેવે, તે ન પામે નિશ્ચે હરિ. ૪

તેજ વૃષાનાં[૨] બિંદુ બીજાં, પડે અહિના[૩] મુખવિષે;
તેહ હલાહલ[૪] થ ઇ નીવડે, તેણે મૃત્યુ પામે જે કો ભખે. ૫

સંત-ચન તે કહે યથારથ, વાંકું ગૃહે ખલબુધવડે[૫] ;
પાત્રયોગે ભલો ભુંડો, ક્ષેત્રનો વહેરો પડે. ૬

નિર્મલ બુધે સંત સેવીયે, તો ઉપજે નિર્મલ જ્ઞાન;
મનસા વાચા કર્મણાએ, રાખો હરિ વિષે ધ્યાન. ૭

જેમ કુંઝી [૬] મૂકે ઈંડાંને, તે દૂર જઇ ચારો કરે;
તેની સુરત્ય રહે માંહોમાંહે, તો અપત્ય ત્યાંથી ઉછરે. ૮

વણસેવેસેવ્યા વિના. સેવાય બાલક, જેને કૃપા આવે ગુરુ તણી,
તેમ સુલક્ષણાને મળે શ્રીહરિ, તેનું મન રહે ગુરૂચરણભણી. ૯

કહે અખો સહુકો સાંભળો, એ કહ્યું છે બુધ્ધવંતને;
જે સુણતામાંહે ઝડપે વચનને, તે સેવે હરિ-ગુરુ-સંતને ૧૦


કડવું ૩૫ મું - સત્સંગના ફળનું વર્ણન

રાગ ધન્યાશ્રી

સંત સેવે તે સર્વ સુખ પામેજી, મન ન લાગે બીજે ભામેજી;[૭]
જન્મમરણ ને સુખદુઃખ વામેજી [૮],જેમ જલ ઢળી આવે નીચે ખામેજી[૯]. ૧


  1. સમુદ્રમાંથી.
  2. વરસાદના.
  3. સર્પના.
  4. આકરૂં ઝેર.
  5. અવળી બુધ્ધિ વડે.
  6. કુંઝડી.
  7. મિથ્યા વાતમાં
  8. નાશ કરે
  9. ખામણામાં