પછી નારદેં નારાયણકેરૂં, નિજ જ્ઞાન કહ્યું મહાદ્વિજને[૧];
ત્યારે દ્વૈપાયનની[૨] દાઝ ભાગી, જ્યારે કૃપા કીધી સંતજને. ૮
શિવેં કહ્યું શિવાપ્રત્યેં[૩], નિરાલંબ[૪] નિજધામ[૫]
અમર કીધો આત્મા, અદ્યાપિ[૬] સહસ્ત્ર[૭] નામ. ૯
કહે અખો વસ્તુજ્ઞાનવિના[૮], કુશળ ન હોય જંતને[૯];
નિજધામ હીંડો જાણવા, તો સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦
કડવું ૪ થું - અજ્ઞાની જીવની દુઃખ દશા
જે જેંતે જ જાણ્યો જે નિજઆતમાજી,
તે ભટક્યો ભર્મ્યો માયાના સાથમાંજી;
રયણીનો[૧૦] ભૂલ્યો ઘર પાસે પ્રાતમાંજી[૧૧]
પણ દિવસે દિશમોડયો[૧૨] ઘણું ભમે રાતમાંજી. ૧
રાત્યમાંહે રડવડે, અજ્ઞાને આવર્યો હતો;
તે નિજ આત્માથી ઓતળી[૧૩], વિચરતો માયાવતો[૧૪]. ૧
જેમ સુતો નર નિદ્રાવિષે, માયા[૧૫] બહુ બીજી રચે;
માયાવરણ[૧૬] પોતે થઇ ને, નિદ્રાવશમાંહે[૧૭] પચે[૧૮]. ૨
- ↑ વ્યાસજીને
- ↑ વ્યાસજીની
- ↑ પાર્વતીપ્રીતિ
- ↑ આલંબનરહિત
- ↑ સ્વયંપ્રકાસહ સ્વરૂપ
- ↑ હજી પણ
- ↑ હજાર
- ↑ આત્મસ્વરૂપના જ્ઞાન વિના.
- ↑ પ્રાણીને
- ↑ રાતનો
- ↑ સવારમાં
- ↑ જેને દિશાની ભ્રાંતિ થઇ છે એવો.
- ↑ વિમુખ થઇને
- ↑ માયાભણી
- ↑ સ્વપ્નના પદાર્થો
- ↑ સ્વપ્નના પદાર્થોને કલ્પનાર.
- ↑ નિદ્રાને વશ થઇને.
- ↑ સુખદુઃખનો અનુભવ કરે છે