આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦
વિભૂતિયોગ
સાતમા, આઠમા અને નવમા અધ્યાયમાં ભક્તિ ઈત્યાદિનું નિરૂપણ કર્યા પછી ભગવાન પોતાની અનંત વિભૂતિઓનું યત્કિંચિત દિગ્દર્શન ભક્તોને અર્થે કરાવે છે.
श्रीभगवान बोल्याः:
હે મહાબાહો ! ફરી પણ મારું પરમ વચન સાંભળ. એ હું તને પ્રિયજનને તારા હિત સારુ કહીશ. ૧.
દેવો અને મહર્ષિઓ મારી ઉત્પત્તિને અથવા પ્રભાવને જાણતા નથી, કેમ કે હું જ દેવોનું અને મહર્ષિઓનું સર્વ પ્રકારે આદિકારણ છું. ૨.
૧૦૦