આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧
વિશ્વરૂપદર્શન યોગ
આ અધ્યાયમાં ભગવાન પોતાનું વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવે છે. ભક્તોને આ અધ્યાય અતિ પ્રિય છે. આમાં દલીલ નથી પણ કેવળ કાવ્ય છે. આ અધ્યાયનો પાઠ કરતો મનુષ્ય થાકતો જ નથી.
अर्जुन बोल्या :
તમે મારી ઉપર કપા કરીને આ આધ્યાત્મિક પરમ રહસ્ય કહ્યું. જે વચનો તમે મને કહ્યાં છે તેથી મારો આ મોહ ટળ્યો છે. ૧.
તમામ હસ્તીનાં ઉત્પત્તિ અને નાશને વિશે તમારી પાસેથી મેં વિસ્તારપૂર્વક સાંભળ્યું તેમ જ તમારું
૧૦૯