આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉગ્રરૂપ એવા તમે કોણ છો તે મને કહો. હે દેવવર ! હું તમને નમસ્કાર કરું છું. તમે પ્રસન્ન થાઓ. તમ આદિકરણને હું જાણવા ઈચ્છું છું. તમારી પ્રવૃત્તિ હું નથી કળી શકતો. ૩૧.
श्री भगवान बोल्या :
લોકોનો નાશ કરનારો, વૃદ્ધિ પામેલો હું કાળ છું. લોકોનો નાશ કરવાને સારુ અહીં ઊપડ્યો છું. તું લડવાની ના પાડીશ તોયે, દરેક સામસામી સેનામાં જે આ બધા યોદ્ધા રહ્યા છે તેમાંના કોઈ રહેવાના નથી. ૩૨.
તેથી તું ઊભો થા, કીર્તિ મેળવ, શત્રુને જીતીને ધનધાન્યથી ભરેલું રાજ્ય ભોગવ. આમને મેં પહેલેથી જ હણેલા છે. હે સવ્ય-સાચી ! તું તો માત્ર નિમિત્ત-રૂપ થા. ૩૩.
મારા હણેલા દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ અને બીજા યોદ્ધાઓને તું (નામમાત્ર) હણજે. વ્યાકુળ થા મા; લડ; શત્રુને તું રણમાં જીતવાનો જ છે. ૩૪.
૧૧૬