આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૨

ભક્તિ યોગ

પુરુષોત્તમનાં દર્શન અનન્ય ભક્તિથી જ થાય એમ હોવાથી ભગવાનનાં દર્શન પછી તો ભક્તિનું સ્વરૂપ જ આલેખાય.

આ બારમો અધ્યાય બધાએ મોઢે કરી લેવો જોઈએ. નાનામાં નાનામાંનો આ એક છે. આમાં આપેલાં ભક્તનાં લક્ષણ નિત્ય મનન કરવા જેવાં છે.

૩૭

अर्जुन बोल्या :

આમ જે ભક્તો તમારું નિરંતર ધ્યાન ધરતા તમને ઉપાસે છે ને જેઓ તમારા અવિનાશી અવ્યક્ત સ્વરૂપનું ધ્યાન ધરે છે તેમાંના કયા યોગી શ્રેષ્ઠ ગણાય ? ૧.

૧૨૨