આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૪

ગુણત્રયવિભાગ યોગ


ગુણમયી પ્રકૃતિની થોડી ઓળખ કરાવ્યા પછી સહેજે ત્રણગુણનું વર્ણન આ અધ્યાયમાં આવે છે. અને તે કરતાં ગુણાતીતનાં લક્ષણ પણ ભગવાન ગણાવે છે.

બીજા અધ્યાયમાં જે લક્ષણ સ્થિતપ્રજ્ઞનાં જોવામાં આવે છે, બારમામાં જે ભકતનાં જોવામાં આવે છે, તેવાં આમાં ગુણાતીતનાં છે.

૪૨

श्रीभगवान बोल्याः

જ્ઞાનોમાંનું જે ઉત્તમ જ્ઞાન છે અને જે અનુબહવીને બધા મુનિઓ આ દેહ-બંધન છૂટ્યા પછી પરમગતિને પામ્યા તે હું તને ફરી કહીશ. ૧.

આ જ્ઞાનનો આશ્રય લઈને જેઓ મારા ભાવને પામ્યા તેમને ઉત્પતિકાળે જન્મવાપણું નથી અને પ્રલયકાળે વ્યથા પામવાપણું નથી. ૨.

૧૩૭