આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રલોભનોથી દૂર ન રહે ત્યાં લગી તે ત્માં ખૂંચ્યા જ કરવાનો.
વિષયોની સાથે રમત રમવી ને તેમનાથી અસ્પૃષ્ટ રહેવું એ ન બનવા યોગ્ય છે એ આ શ્લોકો બતાવે છે.
જેણે માનમોહનો ત્યાગ કર્યો છે,જેણે આસક્તિથી થતા દોષોને દૂર કર્ય છે, જે આત્મામાં નિત્ય નિમગ્ન છે, જેના વિષયો સમી ગયા છે, જે સુખ-દુઃખરૂપી દ્વંદ્વોથી મુક્ત છે તે જ્ઞાની અવિનાશી પદને પામે છે. ૫
ત્યાં સૂર્યને, ચન્દ્રનેકે અગ્નિને પ્રકાશ આપવાપણું નથી હોતું. જ્યાં જનારને ફરી જન્મવું નથી પડતું એ મારું પરમધામ છે. ૬
૪૪अ
મારો જ સનાતન અંશ જીવલોકમાં જીવ થઈને પ્રકૃતિમાં રહેલ પાંચ ઈન્દ્રિયો અને મનને આકર્ષે છે. ૭
શરીરનો સ્વામી એટલે કે જીવ જ્યારે શરીર છોડે છે અથવા ધારણ કરે છે ત્યારે જેમ વાયુ પુષ્પાદિ ઠામમાંથી ગંધ લઈ જાય છે તેમ ઈન્દ્રિયો સહિત મનને સાથે લઈ જાય છે. ૮
૧૪૮