આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૭

શ્રદ્ધાત્રયવિભાગ યોગ


શાસ્ત્રને એટલે કે શિષ્ટાચારને પ્રમાણ ગણવો એમ સાંભળતાં અર્જુનને શંકા થઈ કે જે શિષ્ટાચારને કબૂલ ન કરી શકે પણ શ્રધ્ધાથી વર્તે તેની કેવી ગતિ છે. પણ શિષ્ટાચારરૂપી દીવાદાંડી છોડ્યા પછીની શ્રધ્ધામાં ભય રહ્યા છે તે બતાવીને ભગવાને સંતોષ માન્યો છે. અને તેથી શ્રધ્ધા અને તેની ઓથે થતાં યજ્ઞ, તપ,દાનાદિના ગુણ પ્રમાણે ત્રણ વિભાગ કરી બતાવ્યા છે અને અંતે ૐ તત્ સત્ નો મહિમા ગાયો છે.

૫૦

अर्जुन बोल्याः

હે કૃષ્ણ! શાસ્ત્રવિધિ એટલે શિષ્ટાચારને જતો કરી જે કેવળ શ્રધ્ધાથી જ પૂજાદિ કરે છે તેની વૃત્તિ કેવી ગણાય? સાત્ત્વિક, રાજસી કે તામસી? ૧.

૧૬૦