આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

श्री भगवान बोल्याः

કામનાથી ઉત્પન્ન થયેલાં (કામ્ય) કર્મોના ત્યાગને જ્ઞાનીઓ સંન્યાસને નામે જાણે છે.બધાં કર્મોનાં ફળના ત્યાગને ડાહ્યા લોકો ત્યાગ કહે છે. ૨.

કેટલાક વિચારવંત પુરુષો કહે છેઃ કર્મમાત્ર દોષમય હોઈ ત્યાગવા યોગ્ય છે; બીજા કહે છેઃ યજ્ઞ, દાન ને તપરૂપી કર્મો ત્યાગવા યોગ્ય નથી.૩.

હે ભરતસત્તમ! એ ત્યાગને વિશે મારો નિર્ણય સાંભળ. હેપુરુષવ્યાઘ્ર! ત્યાગ ત્રણ પ્રકારે વર્ણવાયો છે. ૪.

યજ્ઞ, દાન અને તપરૂપી કર્મો ત્યાજ્ય નથી પણ કરવા યોગ્ય છે.યજ્ઞ, દાન અએ તપ વિવેકીને પાવન કરનારાં છે.૫.

હે પાર્થ! આ કર્મો પણ આસક્તિ અને ફલેચ્છાનો ત્યાગ કરીને કરવાં જોઇએ એવો મારો નિશ્ચિત અને ઉત્તમ અભિપ્રાય છે. ૬.

૧૬૮