આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
-


“જે તપસ્વી નથી, જે ભક્ત નથી, જે સાંભળવા ઇચ્છતો નથી, અને જે મારો દ્વેષ કરે છે તેને આ (જ્ઞાન) તું કદી ન કહેજે.”( ૧૮:૬૭ )

“પણ આ પરમ ગુહ્ય જ્ઞાન જે મારા ભક્તોને આપશે તે મારી પરમ ભક્તિ કરવાથી નિઃશંક મને પામશે.” ( ૧૮:૬૮ )

“વળી જે મનુષ્યદ્વેષરહિત થઈને શ્રદ્ધાપૂર્વક માત્ર સાંભળશે તે પણ મુક્ત થઈને પુણ્યવાન જ્યાં વસે છે તે શુભલોકને પામશે.” ( ૧૮:૭૧ )


કૌસાની (હિમાલય)
સોમવાર,
જેઠ વદ ૨, ૧૯૮૫
તા. ૨૪-૬-'૨૯


મોહનદાસ કરમચંદ ગાંધી