આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૭૨]
:એકતારો:
 


કીર્તિહીન ખિદમત કરી કરી મુજ અંગો ગળશે,
શાપવિસર્જન તણો કાળ તે દિવસે મળશે.
કવિજી ! તમ વાચાળપણાનો ક્યાંય ન જોટો,
અનુસરી તમને લખ્યો પત્ર આ લાંબો મોટો.
ખતમ થઈ ફરિયાદ માહરી, રજા લઉ છું,
સદા આપના ચરણ તણી કાલિદાસી છું. ૬.