આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એકતારો:
[૪૫]
 


*[૧] કાળનું વંદન
Ο

કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી !
કોણે કહ્યું મૃત્યુ સડાવનારૂં !
‘कालोऽस्मि लेाकाक्षयकृत्' કહન્દો,
આંહીં ખડો અંજલિ જોડી બંદો.

સિંહાસનો સલ્તનતો ઉખેડે,
વાસુકિ—ફેણેથી ખીલી ખસેડે,
પટ્ટણ કરે દટ્ટણ સે'જ હાસે,
એ કાળ જો આંહીં ઝૂકી ઉપાસે
લોકોત્તરોના
પદપદ્મ પાસે.


  1. **સ્વ. લોકમાન્ય તિલકની ૧૯૩૮ની સંવત્સરી પ્રસંગે.