સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨૩. ખેડામાં સત્યાગ્રહ

← ૨૨. ઉપવાસ સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૨૩. ખેડામાં સત્યાગ્રહ
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૪. ‘ડુંગળીચોર’ →


૨૩. ખેડામાં સત્યાગ્રહ

મજૂરોની હડતાળ પૂરી થયા પછી મને દમ લેવાનો વખત પણ ન રહ્યો ને મારે ખેડા જિલ્લાના સત્યાગ્રહનું કામ હાથ ધરવું પડ્યું. ખેડા જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ હોવાથી મહેસૂલ માફ કરાવવાને સારુ ખેડાના પાટી દારો મથી રહ્યા હતા. આ બાબત શ્રી અમૃતલાલ ઠક્કરે તપાસ કરી રિપોર્ટ કર્યો હતો. હું કોઈ પણ ચોક્કસ્ સલાહ આપું તે અહેલા કમિશનરને મળ્યો. શ્રી મોહનલાલ પંડ્યા અને શ્રી શંકરલાલ પરીખ અથાગ મહેનત કરી રહ્યા હતા. સ્વ. ગોકળદાસ કહાનદાસ પારેખ અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલની મારફતે ધારાસભામાં તેઓ હિલચાલ કરી રહ્યા હતા. સરકર પાસે ડેપ્યુટેશને ગયા હતા.

આ વખતે હું ગુજરાત સભાનો પ્રમુખ હતો. સભાએ કમિશનર ને ગવર્નરને અરજી કરી, તારો કર્યા, અપમાનો સહન કર્યાં. તેમની ધમકીઓ સભા પી ગઈ. એવકહ્તનો અમલદારોનો દોર આ વખતે તો હાસ્ય જનક લાગે છે. અમલદારોની એ વેળાની છેક હલકી વર્તણૂક અસંભવિત જેવી લાગે છે.

લોકોની માગણી એવી સાફ અને એવી હળવી હતી કે એને સારુ લડત લડવાપણુ હોય જ નહીં. જો પાક ચાર જ આની કે તેથી ઓછો હોય તો તે વર્ષને સારુ મહેસૂલ માફ થવું જોઈએ એવી જાતનો ધારો હતો. પણ સરકારના અમલદારોની આંકણીચાર આની કરતાં વધારે હતી. લોકો તરફથી પુરવાર કરવામાં આવતું હતું કે એ આંકણી આંકણી ચારાઅનથી નીચે હોવી જોઈએ. સરકાર માને જ શાને? લોકો તરફથી મંચ નીમવાની માગણી થઈ. સરકારને તે અસહ્ય લાગી. જેટલા વિનવની થઈ શકે તેટલી કર્યા બાદ ને સાથીઓની સાથે મસલત કર્યા બાદ સત્યાગ્રહ કરવાની મેં સલાહ આપી.

સાથીઓમાં ખેડા જિલ્લાના સેવકો ઉપરાંત મુખ્યત્વે શ્રી વલ્લભભાઈ પટૅલ, શ્રી શંકરલાલ બૅંકર, શ્રી અનસૂયાબહેન, શ્રી ઈન્દુલાલ કનૈયાલાલ યજ્ઞિક, શ્રી મહાદેવ ભાઈ દેસાઈ, વગેરે હતા. વલ્લભ ભાઈ પોતાની મોટી અને વધતી જતી વકિલાતનો ભોગ આપી આવ્યા હતા. ત્યાર પછીથી તે ઠરી બેસીને વકીલાત કરી જ શક્યા નથી એમ કહીએ તો ચાલે.

અમે નડિયાદ અનાથશ્રમમાં વાસ કર્યો. અનાથાશ્રમમાં વાસ કરવામાં કોઈ વિશેષતા ન માને. નડિઆદમાં એના જેવું કોઈ બીજું એટલા બધા માણસોને સંગ્રહી શકે એવું છૂટું મકાન નહોતું. છેવટે નીચે પ્રમાણે પ્રતિજ્ઞામાં દસ્તક લેવાયા:

"અમારા ગામનો પાક ચાર આની થી ઓછો થયો છે,એમ અમે જાણીએ છીએ. અમે તેટલા કારણસર મહેસુલ વસૂલ કરવાનું આવતા વર્ષ સુધી મુલતવી રાખવાની સરકારને અરજ કરી, છતાં બંધ કરવામાં આવ્યું નથી. તેથી અમે નીચે સહી કરનાર પ્રતિજ્ઞા કરીએ છીએ કે, અમે સરકારની મહેસૂલ આ વર્ષની પૂરી કે જે બાકી રહી હોઇય તે નહીં ભરીએ; પણ તે વસૂલ કરવા સરકારને જે કાયદેસર પગલાં ભરવા હશે તે ભરવા દઈશું અને તેથી થતાં દુઃખ સહન કરીશું. અમારી જમીન ખાલસા થશે તો પણ અમે થવા દઈશું. પણ અમારે હાથે પૈસા ભરીને જૂઠા થરી સ્વમાન નહીં ગુમાવીએ.જો ના.સરકાર બીજો હપતો બાકી રહેલી બધી જગ્યાએ મુલતવી રાખે તો અમારામાં જે શક્તિમાન હોઈશું તે પૂરી અગર બાકી રહેલી મહેસૂલ ભરવા તૈયર છીએ. અમરામાં જે શક્તિમાન છે તેઓનેમહેસૂલ નભરવાનું કારાણ એ છે કે, જો શક્તિમાન ભરે તો અશક્તિમાન ગભરાટમાં પોતાની ગમે તે ચીજ વેચીને કે કરજ કરીને મહેસૂલ ભરે અને દુઃખ ભોગવે. એવી હાલતમાંથી ગરીબોનો બચાવ કરવો એ શક્તિમાનની ફરજ છે એવી અમારી માન્યતા છે."

આ લડતને હું વધારે પ્રકરનો નહીં આપી શકું.તેથી ગહ્ણં મીઠાં સ્મરણો છોડવાં પડશે. જેઓ આ મહત્ત્વની લડતનો ઊંઓ અભ્યાસ કરવા ઈચ્છે તેમને શ્રી શંકરલાલ પરીખે લખેલો ખેડાની લડતનોઇ સવિસ્તર સત્તાવાર ઈતિહાસ વાંચી જવાની મારી ભલામણ છે.