આકાશવાણી
નર્મદ




આકાશવાણી

સુધારા ! સુધારા ! સુધારા !

અરે ઓ સેવકો,

બાવરું બાવરું ઊંચે શું જુઓ છો ? હું નથી દેકહવાની. આ, જે માહારી વાણી થાય છે તે તમારા હિતની છે, તે તેમે કાન માંડીને સાંભળો, અને પછી માહારી આજ્ઞા તરત જ માનવી હોય તો ઊમ્ચે જોજો હું તમને દર્શન અને વરદાન આપીશ, ને ન માનવી હોય તોઇ નીચે જ મ્હોડે વ્હેલા વ્હેલા ઘરમાં ભરાઈ જઈ ચમકીને નાઠા એમ જગતમાં ચરચાઈ મહારા સરાપથી ખૂબ રીબાઈ મરજો.

માહરું નામ સુધારા-દેવી છે એટલે માહારી બ્હેન જે સરસ્વતી તેનું સેવન જે સારી રીતે કરે છે તેહેને હું અમૃત આપું છું.

આ વાણીથી તમને ચેતવાનું કારણ એટલું જ કે તમે મને છેક વગોવી નાખી છે, માહારે વિશે લોકો તરેહ તરેહની કલ્પના કરે છે, અને જે ખરે કલ્પના કરે છે, તે લોકોમાં સાહસ અને ઉછાછલા ગણાય છે, માટે ભરમ દુર કરવાસારુ અને માહારી ખરી ઇચ્છા જણાવવા સારુ આ પ્રસંગે કેટલોએક ટુંકામાં બોધ કરું છું.

જે જે દેશો સુધરેલા કહેવાય છે તેઓની ચડતી થવાનાં કારણોમાં મુખ કારાણ એ છે કે તેમાં આપના જેવા જાતિભેદ નથી. એની એ વાત તમારામાંના ઘણએક જાણો છો જ ને હું આજ તમને ખરેખરે કહું છું કે, જ્યાં સુધી જાતિબંધ કપાયો નથી ત્યાં સિધી દેશની સ્થિતિ સારી થનાર નથી. હવે જ્યારે એમ છે ને તમે સમજો છો ત્યારે આ અવસરે તમે કેમ બહાર પડત નથી? મેં જ સરકારને પ્રેરણા કરીને મહિપતરામને વગર ખરચે વિલાત મોકલાવ્યો ને તે એકલો ગભરાઈ ન જાય માટૅ શેઠિયાઓની તરફથી પણ સારી પેઠે મદદ કરાવી ને પાછો આવ્યો તેની અગાઉ રાવસાહેબનો ખોતાબ ને દોહોઢસોના પગારની ઉંચા દરજ્જાની નોકરી બક્ષીસમાં અપાવી છે. એ મહિપતરામને તમારે સારી મદદ કરવી ઘટે છે. એટલે એમ નહીં કે ઉપર ઉપર થી તેનાં વખાંણ કરવા ને જમવા ખાવાનો વેહેવાર ન રાખવો. હું એમ નથી ઇચ્છતી કે મોટું માન આપવાને ઠાઠમાઠ કરી મંડલીઓ મેળવો, અને ઉપર ઉપરથી જ તમારા પોતાનાં અંદરના સ્વાર્થને સારુ મહિઅતરામને માન આપો. લોક સરકારથી આબરુ કમાવવા સારુ સુકો ભભકિ અને ઠગાઈ કરવાં એ મને પસંદ નથી. આ વેળા હું તમને કસવાની આવી છું. માહારી એ જ ઇચ્છા અને આજ્ઞા છે કે, જે જે માહારા ખરા ભક્ત છે તેઓએ મહિપતરામની સાથે અકપંગ્તિએ ભોજન કરી નવીન્યાત ઉભી કરવી. રખે તમે બ્હીતા, રખે ગભરાતા; તમરાથી એમ કહ્યાવનાં તો ચાલવાનું જ અન્થી કે જાતિભેદ કપાયા વગર દેશની ચડતી થનાર નથી. તમે એમ કહેશો કે જાતિભેઅ તો તોડવો જોઈયે, પણ હજી તેમ કરવાનો સમય આવ્યો નથી; તો હું તમને કહું છું કે એ તમારાં લૂલાં બ્હાનાં છે. તમે કહેશો કે ઘરડાં માબાપને તથા સગાંવાહલાંને છોડી જુદા કેમ પડિયે ? ત્યારે શું તમે એમ સમજો છો કે મહિપતરામ માહારી આજ્ઞાથી પોતાના ઘરડા બાપની તથા ન્યાતની અમ્રજી ઉપરાંત થઈ વિલાત જઈ આવ્યો છે. તે શું અપરાધી છે? એમ જો અપરાધી તમને લાગતો હોય તો તમારે એને મદદ કરવાની જરૂર નથી. ધય છે મહિપતરામને કે તેણે પોતાના દેશના હજારો લોકોનાં કલ્યાણાને અર્થે વ્હેમરૂપી દુશ્મનને છુંદી રસ્તો મોકળો કીધો. એ પરાક્રમના બદલામાં જસનો હાર પેહેરાવનારને શું તેણે બ્હિકણ, બાએલા, અને તાલમેલિયા જ મિત્રો મળશે? નહીં નહીં. - આ પ્રસંગે તો ખરેખરા શૂરાઓનું કામ છે. સેવકો, તમે કેહેશો કે થોડાક જણ ન્યાતબહાર પડવાથી માહારો મહિમા નહીં ચાલે. પણ એમ નહીં થાય; તમારી હિંમત જોઈને, તમને સુખી જોઈને, બીજા લોકોને પણ તમારો દાખલો લેવો પડશે. ખરેખરું કહું છું કે કે, તમારી બ્હીક અને ઊંદી ઠગાઇ જોઇને લોકો વધારે સાવધ રહી મને નિંદે છે. ખૂબ સમજજો "કહ્યા કરતા કરી બતાવવું એ પુરુષાતનને સાર્થક છે.

કેટલાએક સ્વારથિઆ મિત્રો, ઉપર ઉપરથી જસ લઈ જવાને એવો ફાકો રાખે છે કે એની ન્યાતનાઓએ જ એની સાથે બેસીને જમવું. આ શું ઠગાઇનું બોલવું નથી? શું માહારો કહ્રો ભક્ત વ્હેમી અને મમતી ન્યાતિલાઓની સોડે બેસવાને લાયક છે? અને તમાં પાછાં ભરાઈ તેણે વ્હેમનો વધારો કરવો લાયક છે? અને કદાપિ પ્રાયશ્ચિત કરી મહિપતરામ ન્યાતમાં આવ્યો તો પછી તેના ઉપર ભરોસો રાખીને તેની ન્યાતના કેટલા જણો ધર્મ સાચવી વિલાત જશે ? મહિપતરામના વિચારના એના મિત્રો જેઓ પણ મહિપતરામની પેઠે ન્યાતના દોરથી અકળાઈ ગયલા છે, તેઓએ, થોડે ઘણે દહાડે પાછાં ન્યાતમાં આવીશું એવી કલ્પનાથી પોતાનાં સગાંઓને છોડી મહિપતરામની સાથે જુદાં રહેવું ઘટે છે ? સગાં વહાલાંને છોડી મહિપતરામની સાથે બે ત્રણ જણાએ રહેવું, રહીને પાછાં ન્યાતમાં આવવાની આશા રાખવી અને પછી કેટલીક દહાડે ન્યાતમાં આવી, લોકોને ઉત્તેજન આપી તેમાંથી કેટલાએકને વિલાત જવાને તૈયાર કરવા એ કેવું અઘટિત ને ન બને તેવું છે તે જુઓ. મહિપતરામની ન્યાતના બે ત્રણ મિત્રે એની સાથે રેહેવું એતો મુનાસિબ નથી. - મુનાસિબ તો એજ છે કે, જેટલા માહારે નામે ઓળખાય છે (સુધારાવાળા કેહેવાય છે.) તેઓએ એકદમ બાહાર પદવું ને એમ કીધાથી ઘરડાં માબાપો, સગાંવ્હાલાં અને ન્યાતિલાઓ ભાવે અથવા કભાવે પાછાં એકઠાં થશે જ. ફરી ફરીને આવ વકહ્ત થોડા જ આવશે. માટે આ ટાણે માહરા ખરા ભક્તોએ બાહર પડવું.

કેટલાએક સુધારાવાળાઓ માંહોમાં જાતિભેદ કંઇ જ રાખતા નથી. ને પોતાની ન્યાતને એ વાતની જાન ન કરી છુપા ગુન્હા કરે છે, હવે એ ગુન્હા કરવા કરતાં લોકને ખરેખરું દેખડાવવું એ કેવું સારું! જો સઘળા મિત્રો એવીરીતે એકદમ મળી જુદા પડતા હોય તો પોતાનું જોર કેટલું બધું વધારે, પોતે કેટલા સુખી થાય, કેટલો જશ મેળવે, કેટલો પરમાર્થ અક્રે, અને કેટલાં માનને લાયક થાય ?

આ પ્રસંગે એક ૧૦૦ જણા હિમત ધરે તો બીજે દહાડે તેઓની સંખ્યા દસગણી થયા વગર રહે જ નહીં. જુદાં ન પડવાના બે સબબ મ્હોટા દેખાય છે - એક તો ગુજરાનના વાંધા પડે તે અને બીજો શુભાશુભ કારજ સમયે અડચણ પડે તે. જેઓ હાલ એમ કરવાને લાયક છે તેઓને આ બે વાતની અડચણ પડે તેમ નથી. તેઓ તો ઉલટા વધારે સુખી થશે ને બીજાઓને સુખી કરશે કેમકે જેઓ એ કામને લાયક છે તેઓ મ્હોટી પદવી ધરાવનારા, પૈસાદાર અને વગવસલીવાળા છે, અરે પેલી પરમહંસસભા ક્યાં સુઈ ગઈછ ? પંદર પંદર વરસ થયાં ઊંઘ્યા કરે છે એ તે શું ? એના બ્હીકણ ઉત્પન કરનારાઓને કંઈ શરમ નથી આવતી ? બુદ્ધિ વર્ધક પોતાનાં છોકરાંઓને બ્હીકણ ને બાયલાં જ કીધાંછ? જ્યારે સુધારાવાળાઓની મૂળ મતલબ (પછી ઘણીવારે) જુદાં પડવાની છે તો પણ જ્યારે બની શકે છે ત્યારે હમણાં કાં નથી પડતા ? જો મંગળદાસ નથુભાઈ અને ગોકળદાસ તેજપાળ તથા લખમીદાસ ખીમજી બાહાર પડે તો ઓહો ! તેઓની સાથે કેટલા સામેલ રેહે ! દાદોબા અને આતમારામ પાંડુરંગ, રામ બાળકૃષ્ણ, બાલાજી પાંડુરંગ અને ભાઈદાજી મેદાન પડે તો તેઓની સામાં કિયો શર્તુ ટકી શકનાર છ ? પરમહંસ સભાના અંગીઓ અને બુદ્ધિવર્ધક સભાના અંગીઓ ગંગાદાસ કીશોરદાસ, કાંહાંનદાસ મંછારામ, નાહાનાભાઈ હરીદાસ, કરસનદાસ માધવદાસ, માણેકલાલ તથા દેવીદાસ પરસોતમદાસ, નારાણદાસ કલ્યાણદાસ, ડાક્તર ધીરજરામ દલપતરામ, વગેરે જુવાનીઆઓ બહાર પડે તો શું તેઓનાં સગાંઓ સામેલ ન થાય ? ને કદાપિ ન થયાં તો તેઓનો વ્યવહાર શું અટકી પડવાનો પેલો ગુજરાતનો સુધારો કરનાર ન્યાતિનિબંધનો લખનાર કવિ દલપતરામ ડાહ્યાભાઇ, પુનર્વિવાહવાળો નર્મદાશંકર અને સત્યપ્રકાશવાળો કરસનદાસ મુળજી એઓ, પોતાના સામ , દામ, ભેદ, અને દંડ ઉપાયથી શું નહીં કરી શકે ? એ સઘળાઓ એકઠા થૈ નવી ન્યાત કરી નવો ધર્મ રાખી, નવા સંસાર-કાયદા કરી, દેશને તાજો કરે તો શી વાર છે ? એકલાં શંકરે, એકલા વલ્લભે, એકલા સ્વામિનારાયણે, એકલા રામદાસે, એકલા નાનકે, એકલા દાદુએ, એકલા કબીરે, આટલા આટલા ફેરફાર કર્યા તોતમે આટલાબધા, થૈ ગયલી-પાછલી વાતોને સારીપેઠે જાણ્યા છતાં, પૈસે વિદ્યાએ બુદ્ધિએ ચતુરાઈએ સર્વ વાતથી અનુકુળ હોવા છતાં, તમે માહારો સુધારાનો મહિમા વદારવાને કાં આચકો ખાઓછો ? જેને કરવાનું મન નથી તે હજાર બ્હાનાં કાહાડશે. તેમ તમે બાહાર પડવાના તો નથી પણ માહારી ઇચ્છા છે તે તમને કહું છું. આ સમય બાયલા થઈને બેસી રેહેવાનો નથી. જો આ પ્રસંગ તમે ચુકશો તો તમારા જેવા ઠગ બીજા કોઈજ નહીં. તમે માહારા નામને બટ્ટો લગાડો છો. આ વખતે તો હિંમત રૂપી મદિરાનું પાન કરી રજપૂતની પેઠે એકદમ બાહાર નિકળો અને હું તમારે માટે સર્વ દેવની વિનંતિ કરીશ કે માહારા ભક્તોની સંખ્યામાં વધારો કરી તેમને સુખી કર. વાસ્તે છેલ્લું એજ કહું છું કે, એક સારે ઠેકાણે દક્ષણી ને ગુજરાતી વાણિયા, બ્રાહ્મણ, ભાટિયા વગેરે સર્વ સેવકોએ રુડાં ભોજનનું મને વૈવેદ ધરાવી, તે પ્રસાદી સર્વે જણાએ એક પંગ્તિએ બેસીને મોટી ખુશીથી માહારા સાચા ભક્ત મહિપતરામ સુદ્ધા આરોગવી.