ગાંધીજીનો અક્ષર દેહ - ૧/દક્ષિણ આફ્રિકાનું ટૂંકું વૃત્તાંત →

← દક્ષિણ આફ્રિકાના રાજયબંધારણનું માળખું ગાંધીજીનો અક્ષરદેહ
દક્ષિણ આફ્રિકાનું ટૂંકું વૃત્તાંત →
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
નેાંધો →


દક્ષિણ આફ્રિકાનું ટૂંકું વૃત્તાંત

આ વૃત્તાંતનો હેતુ બનાવોનું પૂરેપૂરું બયાન આપવાનો નથી. એમાં માત્ર એટલી જ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે વાચકને ઐતિહાસિક પૃષ્ઠભૂમિકા સમજવામાં તથા કાંઈક અંશે દક્ષિણ આફ્રિકામાંના ગાંધીજીના જીવન અને તેમની પ્રવૃત્તિઓ દરમિયાન જે બળો કામ કરી રહ્યાં હતાં તે સમજવામાં મદદરૂપ થઈ પડે એમ છે.

૧૭૯૫   બ્રિટિશ ફોજોએ ડચ લોકો જોડે સમાધાન કરીને કેપ સંસ્થાન પર કબજો કર્યો. આમ કરવાનું કારણ એ હતું કે હિંદ જવાના માર્ગ ઉપર કેપનું સ્થાન પેચીદું હતું. એ સમયે ત્યાં ગોરા રહેવાસીઓની સંખ્યા ૧૬,૦૦૦ જેટલી હતી.

૧૮૦૨  બ્રિટને આમીન્સની સંધિની રૂએ કેપ સંસ્થાન ડચ પ્રજાસત્તાક સરકારને પાછું આપ્યું.

૧૮૦૬  બ્રિટને કેપ સંસ્થાન ફરીથી જીતી લીધું.

૧૮૧૫ વિયેનાની કૉંગ્રેસે કેપ સંસ્થાન બ્રિટનને આપી દેવાની વાતને મંજૂર રાખી.

૧૮૨૦ બ્રિટિશ વસાહતીઓનો પહેલો જથો કેપ સંસ્થાનના દરિયાકિનારે ઊતર્યો.

૧૮૨૩ કેપના મામલાની તપાસ માટે તપાસ કમિશન નિમાયું.

૧૮૩૪ કેપ સંસ્થાનમાં વિધાનપરિષદની સ્થાપના અને લોકમતથી ચૂંટાયેલી મ્યુનિસિપલ કમિટીઓનો આરંભ. ગુલામી નાબૂદ થઈ.

૧૮૩૬ મહાન કૂચ શરૂ થઈ.

૧ ૮૩૮ નાતાલમાં પ્રજાસત્તાક રાજયની સ્થાપના થઈ.

૧૮૪૧ કેપ સંસ્થાનના નાગરિકોએ વિધાનસભા માટે અરજી કરી.

૧૮૪૩ બ્રિટિશોએ કેપ સંસ્થાન સાથે નાતાલને જોડી દીધું.

૧૮૪૫  નાતાલ જે આજ સુધી કેપ સંસ્થાનના ગવર્નર અને વિધાનપરિષદના અધિકાર નીચે હતું તેમાં ન્યાયતંત્રની શરૂઆત કરવામાં આવી.

૧૮૪૬ કેપ સંસ્થાનના ગવર્નરની હાઈ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી.

૧૮૪૭ નાતાલના શહેરી વિસ્તારોમાં ચૂંટાયેલાં મ્યુનિસિપલ બોર્ડની જોગવાઈ કરવામાં આવી. ૧૮૪૮ નાતાલને નિયુક્ત વિધાનપરિષદ આપવામાં આવી. ફી સ્ટેટે ઑરેન્જ રીવર સંસ્થાનની સાર્વભૌમ સત્તાની ધોષણા કરી.

૧૮૫૨  સેંડ રીવર સંમેલને ટ્રાન્સવાલમાં બોઅરોની સ્વતંત્રતા માન્ય કરી.

૧૮૫૩ કેપ સંસ્થાન બંધારણ ઑર્ડિનન્સ લાગુ પાડવામાં આવ્યો.

૧૮૫૪ બ્લૂમફોન્ટીન સંમેલન બાદ ઑરેન્જ ફ્રી સ્ટેટ અને ટ્રાન્સવાલ સ્વતંત્ર થયાં. ડરબન અને પિટરમેરિત્સબર્ગની મ્યુનિસિપાલિટીઓની સ્થાપના થઈ.

૧૮૫૫ કેદી મજૂરો લાવવા માટે નાતાલે સમ્રાજ્ઞીને કરેલી અરજી સફળ નહીં નીવડી.

૧૮૫૬ નાતાલને તાજના સંસ્થાનના દરજજા સાથે પ્રતિનિધિત્વવાળું શાસન અને સંસદીય મતાધિકાર આપવામાં આવ્યાં તથા ચૂંટાયેલી બહુમતીવાળી વિધાનપરિષદ પણ અપાઈ. મિલકતની ઊંચી લાયકાતને કારણે દેશી લોકો મતથી વંચિત રહ્યા.

૧૮૫૭ નાતાલની સર્વોચ્ચ અદાલતની પુનર્રચના કરવામાં આવી અને તહોમત મૂકી શકાય

એવા ગુનાઓમાં જયુરીથી કેસ ચલાવવાની વ્યવસ્થા ચાલુ કરવામાં આવી. વિધાનપરિષદની બેઠક પિટરમેરિત્સબર્ગમાં પહેલવહેલી ભરાઈ.

૧૮૫૮ એમેટોંગા જાતિના આદિવાસીઓને મજૂર બનાવવાનો નાતાલનો પ્રયાસ નિષ્ફળ ગયો.

જાવામાંથી ચીની અને મલાઈ મજૂરોને લાવવામાં આવ્યા. હિંદી સરકારને આ બાબતમાં કરેલી વિનંતી સફળ નીવડી.

૧૮૫૯ નાતાલની વિધાનપરિષદે હિંદી મજૂરોને લાવવાનો કાયદો પસાર કર્યો.
૧૮૬૦ નાતાલના શેરડીના બગીચાઓ પર કામ કરવા માટેનો મદ્રાસના હિંદી ગિરમીટિયા

મજૂરોનો પહેલો જથ્થો દક્ષિણ આફ્રિકાની ભૂમિ ઉપર પ્રથમ વાર આવ્યો.

૧૮૬૬ નાતાલમાં હિંદી ગિરમીટિયા મજૂરોનો આંકડો ૫,૦૦૦ સુધી પહોંચ્યો.
૧૮૬૮ બસુટોલૅન્ડને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડી દેવાયું.
૧૮૬૯ ફ્રી સ્ટેટમાં હીરાની ખાણો મળી આવી.
૧૮૭૦ કિંબરલીમાં હીરા મળી આવ્યા.

નાતાલમાં ગિરમીટમુક્ત મજૂરોને જમીન અપાવવાની પરવાનગી આપતો ૧૮૭૦નો બીજો કાનૂન પસાર થયો.
બસુટોલૅન્ડને સામ્રાજ્ય સરકાર અને ફ્રી સ્ટેટ વચ્ચે વહેંચી લેવામાં આવ્યું.

૧૮૭૨ કેપ સંસ્થાનમાં સંપૂર્ણ જવાબદાર શાસનની સ્થાપના કરવામાં આવી.
૧૮૭૬ દેશીઓના મામલા અંગેના કમિશને દેશી લોકો ઉપર કારોબારી તંત્રને વધારે મોટી

સત્તા આપી, પ્રિટોરિયા શહેરનો પાયો નંખાયો. રેલવેના બાંધકામ અને ગોદીની મરામત માટે હિંદી મજૂરોને લાવવાનું જારી કરવામાં આવ્યું.

૧૮૭૭ ટ્રાન્સવાલને બ્રિટિશ સામ્રાજય સાથે જોડી દેવામાં આવ્યું.
૧૮૭૮ ટ્રાન્સવાલનું બ્રિટિશ સામ્રાજ્ય જોડેનું જોડાણ પાછું ખેંચાવી લેવા માટે ક્રૂગર ઇંગ્લંડ

જવા રવાના થયા.

૧૮૭૯ ટ્રાન્સવાલને નિયુક્ત કરેલી કારોબારી કાઉન્સિલ અને વિધાનસભા સાથેનો બ્રિટિશ

તાજના સંસ્થાનનો દરજજો આપવામાં આવ્યો. “પોતાના જ ધ્વજ નીચે સંયુક્ત દક્ષિણ આફ્રિકા”નું નિર્માણ કરવાના ઉદ્દેશથી આફ્રિકન્ડર બોન્ડ સંસ્થા સ્થાપવામાં આવી.

૧૮૮૦-૧ ટ્રાન્સવાલની સ્વતંત્રતાની લડાઈ અથવા બોઅરયુદ્ધ.
૧૮૮૧ પ્રિટોરિયા કરારે ટ્રાન્સવાલને 'સમ્રાજ્ઞીની સરકારની સાર્વભૌમ સત્તા નીચે સંપૂર્ણ

સ્વતંત્રતાની બાંયધરી આપી.
નાતાલતાના હિંદી વેપારીઓએ ટ્રાન્સવાલમાં પ્રવેશ કર્યો.

૧૮૮૨ ટ્રાન્સવાલમાં અલગ વસ્તીનું (લોકેશન્સ) કમિશન નીમવામાં આવ્યું.

દેશી વસ્તીને લોકેશનોમાં ખસેડવાની વાત માન્ય કરવામાં આવી. પણ એનો અમલ નહીં થયો.

૧૮૮૩ ટ્રાન્સવાલમાંના ચૂંટાયેલા પ્રમુખ, ક્રુગરે, પ્રિટોરિયા કરારમાં સુધારો મંજૂર કરાવવા

માટે લંડનની મુલાકાત લીધી.

૧૮૮૪ બ્રિટન અને દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાક વચ્ચેના લંડન કરારે દેશીઓ સિવાયના

બધાને માટે પ્રજાસત્તાકમાં પ્રવેશ, મુસાફરી અને વસવાટની છૂટ, વેપારની સ્વતંત્રતા

અને નાગરિકો ઉપર નહીં લદાતા હોય એવા કરોમાંથી મુક્તિ મેળવી આપી.

હૉફમેયર, ૩૨ સભ્યોના આફ્રિકન્ડર પક્ષના નેતા તરીકે સંસદમાં ચૂંટાઈ આવ્યા; નાતાલની વિધાનપરિષદે, સંસ્થાનની એશિયાઈ વસ્તીને અસરકારક નિયંત્રણમાં લાવવાને માટે સૌથી સારો પ્રબંધ કરવા માટે એક કમિશન નીમવાનું નક્કી કર્યું.
ટ્રાન્સવાલમાં નિયંત્રણ મૂકનારા કાનૂનો બનાવવા માટેની પ્રજાવર્ગની માગણીને સમ્રાજ્ઞીની સરકાર આગળ રજૂ કરવામાં આવી.

૧૮૮૫ એશિયાઈઓને લોકેશનોમાં અલગ રાખવાની યુરોપિયનોની માગણી ધ્યાનમાં લઈને,

ટ્રાન્સવાલમાં એશિયાઈ હકોને નિયંત્રિત કરતો ૧૮૮૫નો ત્રીજો કાનૂન સમ્રાજ્ઞી સરકારની સંમતિથી બનાવવામાં આવ્યો. જસ્ટીસ રૅંગની અધ્યક્ષતામાં નાતાલ સરકારે હિંદી વસાહતી કમિશનની નિમણૂક કરી, કમિશનની તપાસને પરિણામે એવું બહાર આવ્યું કે સંસ્થાનમાંના મોટા ભાગના યુરોપિયનોનો અભિપ્રાય એ વાતની વિરુદ્ધ હતો કે “સ્વતંત્ર હિંદીઓ ખેતીના અથવા વેપારના ધંધામાં હરીફ અથવા સમોવડિયા તરીકે મોજૂદ રહે.”
બિચુઆનાલૅન્ડ બ્રિટિશ સંરક્ષિત રાજય જાહેર થયું અને દક્ષિણના પ્રદેશમાંથી સમ્રાજ્ઞી શાસિત સંસ્થાન રચવામાં આવ્યું.

૧૮૮૬ બિયુઆનાલૅન્ડનો થોડો ભાગ કેપ સંસ્થાન સાથે જોડી દેવામાં આવ્યો.

ટ્રાન્સવાલમાં સોનાની ખાણો મળી આવી.
હિંદીઓ સામેના નાતાલના યુરોપિયનોના આક્ષેપોની તપાસ કરવા એક કમિશન નીમવામાં આવ્યું.
બ્રિટિશ સરકારે એવી ઘોષણા કરી કે ૧૮૮૫ના ત્રીજા કાનૂનમાં ગર્ભિત રહેલી એશિયાઈ વિરોધી ધારાઓનો વિરોધ કરવાનો તેમનો ઈરાદો નથી, પરંતુ તે વેપારના હેતુથી ટ્રાન્સવાલમાં વસવાના હિંદીઓના અધિકારને માન્ય રાખે છે.

૧૮૮૭ ૧૮૮૫નો ત્રીજો કાનૂન સુધારવામાં આવ્યો.

નાતાલ સરકારના તાબામાં મુકાયેલા ઝૂલુલૅન્ડના એક ભાગ ઉપર બ્રિટિશ સરકારનું સાર્વભૌમત્વ જાહેર કરવામાં આવ્યું. કેપ સંસ્થાનમાં સંસદીય મતદાતા નેાંધણી કાનૂન (પાર્લમેન્ટરી વોટર્સ રજિસ્ટ્રેશન ઍકટ) પસાર કરવામાં આવ્યો.
પ્રથમ સંસ્થાન પરિષદે વધારે ઘાડા રાજદ્વારી સંગઠન માટેની યોજનાઓની ચર્ચા કરવાનું નામંજૂર કર્યું.
જોહાનિસબર્ગ અસ્તિત્વમાં આવ્યું.

૧૮૮૮ કાફરો સાથેના વર્ગીકરણનો વિરોધ કરતી અને રસ્તાઓ ઉપર રાત્રે નવ વાગ્યા બાદ

ફરવાની બંધીનો વિરોધ કરતી ટ્રાન્સવાલ સરકારને હિંદીઓએ કરેલી અરજી નામંજૂર કરવામાં આવી.
ઇસ્માઈલ સુલેમાનના કેસથી એ વાત પાકી થઈ ગઈ કે હિંદીઓ લોકેશન સિવાય બીજી જગ્યાએ વેપાર ચલાવી શકે એમ નથી. ઝઘડો ઑરેન્જ ફ્રી સ્ટેટના મુખ્ય ન્યાયાધીશ પાસે તડજોડ માટે રજૂ કરવામાં આવ્યો. એમના ચુકાદામાં ૧૮૮૫ના ત્રીજા કાનૂનનો અમલ કરવાનો સરકારનો હક માન્ય રાખવામાં આવ્યો છે. એમાં અપવાદ એટલો કે અદાલતોને એ કાનૂનનો અર્થ કરવાનો અધિકાર રહે છે.

૧૮૮૯ રોડ્સે માટાબેલ પાસે ખાણો ચલાવવાના હકો મેળવ્યા.

માટાબેલ યુદ્ધ અને બળવો રોડેશિયા જીતી લેવામાં પરિણમ્યાં.
સમ્રાજ્ઞીના હકનામાથી બ્રિટિશ દક્ષિણ આફ્રિકા કંપની સ્થપાઈ.

૧૮૯૦ કેપ સંસ્થાનમાં રોડ્સે એમનું પહેલું પ્રધાનમંડળ રચ્યું.

બ્રિટિશ દક્ષિણ આફ્રિકા કંપનીએ માશોનાલૅન્ડ કબજે કર્યું.

૧૮૯૨ કેપ સંસ્થાનમાં મતાધિકાર અને બૅલટ કાનૂન બનાવ્યો.

ટ્રાન્સવાલમાં પરદેશીઓનો રાષ્ટ્રીય સંઘ (નેશનલ યુનિયન ઑફ ઑઈટ્લૅન્ડર્સ) સ્થપાયો.

૧૮૯૩ ફોક્સરાડે (લોકસભાએ) હિંદીઓ વિરુદ્ધ ૧૮૮૫નો ત્રીજો કાનૂન અમલમાં લાવવા

માટેના ઉપાયની યોજના કરવા ઠરાવ કર્યો.
નાતાલે જવાબદાર શાસનનો અધિકાર મેળવ્યો.
સર જૉન રૉબિન્સને નાતાલનું પહેલું પ્રધાનમંડળ રચ્યું.
કેપ' સંસ્થાનમાં દેશી મજૂરો સંબંધી કમિશને દરેક દેશી પુરુષ ઉપર એક ખાસ કર નાખવાની ભલામણ કરી, જે કર વર્ષ દરમિયાન કામ ઉપર ચડતાં ઘર ઉપર ગેરહાજર રહ્યાની સાબિતી આપતાં પરત કરવાનો હતો.
ટ્રાન્સવાલમાં ખાણોના વેપારી સંઘે દેશી મજૂરોના કમિશનની દેખરેખ નીચે એક ખાસ મજૂરમંડળની સ્થાપના કરી.

૧૮૯૪ નાતાલમાંના જવાબદાર રાજતંત્ર નીચેની પ્રથમ સરકારે હિંદી વસાહતી મજૂરોની

સહાયમાં અપાતી વાર્ષિક મદદ બંધ કરવા માટે સંસદની મંજૂરી મેળવી લીધી.
નાતાલમાં મતાધિકાર કાનૂન સુધાર વિધેયક રજૂ થયું.
ગ્લેન-ગ્રે કાનૂને કેપ સંસ્થાનને દેશી પુરુષો ઉપર કર નાખવાની કાનૂની મંજૂરી આપી. નાતાલે ટ્રાન્સવાલ સાથે સમજૂતી પર સહી કરી.
વિટવોટર્સરેન્ડમાં સોનું અને હીરા મળી આવ્યા.
પોન્ડોલૅન્ડને કેપ સંસ્થાનમાં જોડી દેવામાં આવ્યું.
દેશીઓનાં હિતોની સહીસલામતી રાખીને સ્વાઝીલૅન્ડને દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાકના તાબામાં મૂકવામાં આવ્યું.
કેપની સંસદે ઈસ્ટ લંડન મ્યુનિસિપાલિટીને શહેરના ફૂટપાથ પરથી હિંદીઓને દૂર રાખવાને મંજૂરી આપી.

૧૮૯૫ ટ્રાન્સવાલે સ્વાઝીલૅન્ડના રક્ષક રાજ્યની જવાબદારી સ્વીકારી.

બ્રિટિશ બિચુઆનાલૅન્ડને કેપ સંસ્થાનમાં ભેળવી દેવાયું. ગવર્નર-જનરલના હાથ નીચે કેપ સંસ્થાનમાં બૃહદ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી.
નાતાલમાં ૧૮૯૫નો ૧૭મો કાનૂન પસાર થયો.
૧૮૮૫ના ત્રીજા કાનૂનના અમલના પ્રશ્નની તપાસ માટે ટ્રાન્સવાલમાં એક કમિશન નીમવામાં આવ્યું.
પરદેશીઓએ (ઑઇટલૅન્ડર્સ) સુધારક મંડળ સ્થાપ્યું.
જોહાનિસબર્ગ ઉપર જેમિસનનો હુમલો. બ્રિટિશ હાઈકમિશનરે એના પરથી હાથ ઉઠાવી લેવાની જાહેરાત કરી.

૧૮૯૬ નાતાલમાં ૧૮૯૬નો મતાધિકારરહિત કરવાનો ૮મો કાનૂન દાખલ કરવામાં આવ્યો.

કેપ સંસ્થાનમાં રોડ્સ મુખ્યમંત્રીપદનું રાજીનામું આપે છે.
ટ્રાન્સવાલના દેશી મજૂર કમિશને પોર્ટુગીઝ પૂર્વ આફ્રિકામાં મજુર ભરતી કાર્યાલયો ખોલવાનો એકહથ્થુ હક મેળવી લીધો.

૧૮૯૭ ટ્રાન્સવાલમાં ૧૮૮૫ના ત્રીજા કાનૂન વિષેના કમિશનનો હેવાલ લોકસભાએ સ્વીકાર્યો.

કાનૂન ત્રીજાથી ગોરા અને બિનગોરા લોકો વચ્ચેના લગ્ન પર પ્રતિબંધ મુકાયો.
નાતાલમાં ચૂંટણી. એસ્કમ્બ પછી બિન્સ મખયમંત્રીપદે આવ્યા.
૧૮૯૭નો પ્રવાસી પ્રતિબંધક કાનૂન ૧લો નાતાલમાં જારી કરવામાં આવ્યો.
૧૮૯૭નો વેપારી પરવાના કાનૂન ૭૮ પસાર થયો.
ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટ વચ્ચેનું બ્લૂમફોન્ટીન સંમેલન.
કેપમાં મિલ્નર હાઈકમિશનર તરીકે નિમાયા.
સમ્રાજ્ઞીનો હીરક મહોત્સવ.
બ્રિટન અને સંસ્થાનોના વડા પ્રધાનોની પ્રથમ પરિષદ લંડનમાં ભરાઈ.

૧૮૯૮ બ્લૂમફોન્ટીનમાં ટ્રાન્સવાલ અને બ્રિટનના પ્રતિનિધિઓની પરિષદ મળી.

નાતાલ કસ્ટમ્સ યુનિયનમાં જોડાયું.
બોન્ડ પક્ષના નેતા તરીકે શ્રાઈનર કેપ સંસ્થાનમાં મુખ્ય મંત્રી બન્યા.
ક્રૂગર પ્રેસિડેન્ટ તરીકે ફરી ચૂંટાયા.
ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટની 'સંઘ રેન્ડ' પહેલી વાર મળી.

૧૮૯૯ બોઅર યુદ્ધ ફાટી નીકળ્યું. બ્રિટિશ આગેવાનોએ હિંદીઓ પ્રત્યેના ગેરવર્તાવને યુદ્ધના

એક કારણ તરીકે ગણાવ્યું.
હિંદથી આવેલી બ્રિટિશ ફોજ ડરબનમાં ઊતરી.

૧૯૦૦ ઑરેન્જ ફ્રી સ્ટેટનો બ્રિટિશ મુલક ઑરેન્જ રીવર સંસ્થાન તરીકે જાહેર થયો. ટ્રાન્સવાલને બ્રિટિશ રાજમાં ભેળવી દેવામાં આવ્યું.

૨૦,૦૦૦ બોઅર નિરાશ્રિત સ્ત્રી-બાળકો-બ્રિટિશ કેદી છાવણીઓમાં મૃત્યુ પામ્યાં, જમીન અંગેનો લૅન્ડ સેટલમેન્ટ કમિશનનો હેવાલ બહાર પડયો.

૧૯૦૧ જોહાનિસબર્ગમાં મ્યુનિસિપલ રાજતંત્ર ચાલુ થયું.
૧૯૦૨ વીરીનીઝીંગની સંધિથી બોઅરયુદ્ધનો અંત આવ્યો.

રોડ્સનું અવસાન થયું.
પ્રિટોરિયામાં મ્યુનિસિપલ રાજતંત્ર ચાલુ થયું.
પોર્ટુગીઝ પૂર્વ આફ્રિકાની સરકારે દક્ષિણ આફ્રિકાની મંજૂરી માટે પોતાના પ્રદેશમાંથી ભરતી થતા દરેક દેશી માટે ૧૩ શિલિંગની ફી આપવાની દરખાસ્ત મૂકી.
ટ્રાન્સવાલ અને ઑરેન્જ રીવર સંસ્થાનમાં નવી સરકારોની જાહેરાત થઈ.
ચેમ્બરલેને દક્ષિણ આફ્રિકાની મુલાકાત લીધી, પ્રિટોરિયા અને બ્લૂમફોન્ટીનમાં સંધિની શરતોમાં છૂટછાટ મૂકવાની બોઅર લોકોની દલીલોને અસ્વીકાર કરવામાં આવ્યો.

૧૯૦૩ શાંતિરક્ષા વટહુકમ વડે હિંદીઓના ટ્રાન્સવાલ પ્રવેશ ઉપર નિયમન મુકાયું.

ટ્રાન્સવાલ બ્રિટિશ હિંદી સંધ સ્થપાયો અને તેણે એશિયાઈ ઓફિસના કામકાજ વિરુદ્ધ અરજી ) કરી.

બ્લૂમફોન્ટીનમાં કસ્ટમ્સ યુનિયનની સ્થાપના થઈ.
ટ્રાન્સવાલ અને ઑરેન્જ રીવર સંસ્થાનમાંના બિનસરકારી પ્રતિનિધિઓ સાથેની અાંતર સાંસ્થાનિક કાઉન્સિલ, સામાન્ય હિતો બાબતમાં હાઈ કમિશનરને સલાહ આપવાને સ્થાપવામાં આવી.
બ્લૂમફોન્ટીન સંમેલને દેશીઓના મામલા માટેનું કમિશન સ્થાપ્યું.
ટ્રાન્સવાલ વિધાનપરિષદે ગિરમીટ નીચેના બિનગોરા મજૂરોની ભરતી માટે દરખાસ્ત મંજૂર કરી.
ટ્રાન્સવાલમાં સોળ વર્ષ ઉપરની ઉંમરના પુરુષો અને ૧૩ વર્ષ ઉપરની ઉંમરની સ્ત્રીઓ ઉપર વાર્ષિક ૩ પાઉન્ડનો કર લાગુ કરવામાં આવ્યો.

૧૯૦૪ ક્રૂગરનું મૃત્યુ, જોહાનિસબર્ગમાં પ્લેગ ફાટી નીકળ્યો. લૉર્ડ કર્ઝનના ખરીતામાં એવું

કહેવામાં આવ્યું કે તેમની સામેના “નાતાલના કડવા દાખલાને” લઈને હિંદી મજૂરોને ટ્રાન્સવાલ મોકલવાનો હિંદમાં ઉત્સાહ નથી.
સંસ્થાન કચેરીએ ચીની મજૂરો લાવવાના વટહુકમને મંજૂરી આપી.

૧૯૦૫ દક્ષિણ આફ્રિકા માટે સ્વરાજની માગણી કરવા માટે સ્મટ્સની બ્રિટનની યાત્રા. એમણે

બ્રિટિશ વડા પ્રધાન કેમ્પબેલ-બેનરમેન પાસેથી એનું વચન મેળવ્યું.
ટ્રાન્સવાલમાં હેટ વોક (લોકપક્ષ) સ્થપાયો.
લિટલટન બંધારણ અમલમાં આવ્યું.

૧૯૦૬ ટ્રાન્સવાલમાં શાહી ફરમાનથી લિટલટન બંધારણ રદ કરવામાં આવ્યું અને જવાબદાર

શાસન મંજૂર થયું. કેપ સરકારે લૉર્ડ સેલ્બોર્નને દક્ષિણ આફ્રિકાનાં રાજયોનું રાજદ્વારી જોડાણ કરવાનો વિચાર કરવા વિનંતી કરી.
એશિયાઈ નેાંધણી વટહુકમ અમલમાં આવ્યો. એશિયાઈઓને ભવિષ્યમાં ટ્રાન્સવાલમાં નહીં આવવા દેવા અંગેનો કાનૂન મંજૂર થયો.
કેપ સંસ્થાને ૧૯૦૬નો વસાહતી કાનૂન પસાર કર્યો.

૧૯૦૭ ઝૂલુ બળવો.

ઑરેન્જ રીવર સંસ્થાનને જવાબદાર રાજતંત્ર આપવામાં આવ્યું.
હિંદી મજૂરો વિષેના કમિશને એને લાવવાની ભલામણ કરી.
ટ્રાન્સવાલમાંની સામાન્ય ચૂંટણીમાં બોથાની આગેવાની નીચે હેટ વોક (લોકપક્ષ) સત્તા પર આવ્યો.
એશિયાઈ (ચીની) મજૂર વટહુકમ રદ કરવામાં આવ્યો.
દક્ષિણ આફ્રિકામાં રાજદ્વારી સંયોજન વિષેની સેલ્બોર્નની વિજ્ઞપ્તિ બહાર પાડવામાં આવી.
લંડનમાં વડા પ્રધાનોની પરિષદ.

૧૯૦૮ કેપ સંસ્થાનમાંની સામાન્ય ચૂંટણીમાં મેરીમૅનની આગેવાની નીચે દક્ષિણ આફ્રિકા

પક્ષ સત્તા ઉપર આવ્યો.
ડરબનના રાષ્ટ્રીય સંમેલને સંઘરાજ્ય (ફેડરેશન) કરતાં સંયુક્ત રાજ્ય (યુનિયન)ના બંધારણની મોટા ભાગની કલમો મંજૂર રાખી.
સ્વેચ્છાપૂર્વકની નોંધણીને કાયદેસર બનાવવાને ૩૬મો કાનૂન પસાર કરવામાં આવ્યો.

નેાંધણી કાનૂન રદ નહીં કરવામાં આવતાં હિંદી આગેવાનોએ સત્યાગ્રહ કરવાનો નિશ્વય

કર્યો.
અાંતર-સંસ્થાનીય કાઉન્સિલ બરખાસ્ત કરવામાં આવી.
ટ્રાન્સવાલમાં હર્ટ્‌ઝોગે અંગ્રેજી અને ડચ ભાષાઓનો ફરજિયાત ઉપયોગ ચાલુ કર્યો. ઝૂલુલૅન્ડમાંનો બળવો દબાવી દેવામાં આવ્યો.

૧૯૦૯ રાષ્ટ્રીય સંમેલને (નેશનલ કન્વેન્શન) સંયુક્ત રાજય કાનૂનનો હેવાલ ખરડાના સ્વરૂપે

તૈયાર કર્યો, જેને બ્રિટિશ પાર્લમેન્ટે દક્ષિણ આફ્રિકા કાનૂન તરીકે માન્ય કર્યો.

૧૯૧૦ દક્ષિણ આફ્રિકાનું સંયુક્ત રાજય અસ્તિત્વમાં આવ્યું. દક્ષિણ આફ્રિકા પક્ષના નેતા

જનરલ બોથાની આગેવાની નીચે પ્રથમ સંયુક્ત પ્રધાનમંડળ રચાયું. એમાં હર્ટ્‌ઝોગ અને સ્મટ્સનો સમાવેશ થયો. હિંદીઓએ ૧૯૦૮ના વસાહતી કાનૂનનો સવિનય ભંગ કર્યો.

૧૯૧૧ દક્ષિણ આફ્રિકા સરકારે મુક્ત હિંદી વસાહતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકયો.

પ્રથમ શાહી પરિષદમાં બોથાની આગેવાની નીચે સંયુક્ત દક્ષિણ આફ્રિકન રાજયના પ્રતિનિધિઓએ હાજરી આપી.
હિંદમાં ગિરમીટિયા મજૂરોની પ્રથા નાબૂદ કરવામાં આવી.

૧૯૧૨ હર્ટ્‌ઝોગ બોથાથી અલગ થઈ ગયા અને તેમણે “દક્ષિણ આફ્રિકા પહેલું, સામ્રાજય

ત્યાર બાદ” એવો નાદ ઉઠાવતો રાષ્ટ્રીય પક્ષ સ્થાપ્યો.
નાણાકીય સંબંધ તપાસ કમિશન.

૧૯૧૩ જમીન કાનૂન (લૅન્ડ એકટ) પસાર થયો.

નાતાલમાં હિંદીઓનો સત્યાગ્રહ. નાતાલની સરહદ ઉપર થઈને ટ્રાન્સવાલમાં મહાન કૂચ. સામાન્ય હડતાળ.
૧૯૧૩નો વસાહતી નિયમન કાનૂન (૧૯૧૩નો ૨૨મો કાનૂન) હિંદી રાહત કાનૂન (ઈન્ડિયન રિલીફ ઍક્ટ) વડે ૩ પાઉન્ડનો કર નાબૂદ કરવામાં આવ્યો. હિંદીઓએ દક્ષિણ આફ્રિકા સરકારના સૉલોમન કમિશનનો બહિષ્કાર કર્યો.
સ્મટ્સ-ગાંધી પત્રવ્યવહાર; માગણીઓ સ્વીકારાતાં લડતનો અંત લાવવામાં આવ્યો. નાણાકીય સંબંધ કાનૂન (૧૯૩૧નો ૧૦મો કાનૂન) અને વસાહતી કાનૂન (૧૯૧૩નો ૧૩મો કાનૂન) પસાર થયા.

૧૯૧૪ સામાન્ય હડતાળ; સંઘોના આગેવાનોને હદપાર કરીને સ્મટ્સે ગેરકાનૂની કાર્ય કર્યું.

હડતાળ ભાંગી પડી.
સ્મટ્સ-ગાંધી સમાધાન, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિંદ જવા રવાના થયા.