← શામળભટ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ
દલપત
દલપતરામ
વલ્લભભટ →


દલપત

શામળભટ પછી અમદાવાદમાં દલપત નામે નાગર કવિ થયો. તે દેવીભક્ત હતો. તેણે ગુજરાતી ભાષામાં થોડાક ગરબા રચેલા છે. પણ સંસ્કૃતમાં કવળઆનંદ નામે અલંકારનો ગ્રંથ છે, તે બધો હિદુસ્તાની ભાષાની કવિતામાં તેણે રચ્યો છે, તેનું નામ દલપત વિલાસ છે. એ ગ્રંથ ઘણો વખાણ વાલાયક છે. અને કવિયોના ઉપયોગનો છે. એ કવિ સંવત ૧૮૮૭માં હયાત હતો. એવું ગુજરાતી ભાષામાં તેણે રચેલા અહિના કાકારિયા તળાવના વરણનના ગરબા ઊપરથી જણાય છે.