ગોવિંદના ગુણ ગાશું
મીરાંબાઈ



ગોવિંદના ગુણ ગાશું

ગોવિંદના ગુણ ગાશું,
રાણાજી, અમે ગોવિંદના ગુણ ગાશું.
ચરણામૃતનો નિયમ હમારે,
નિત્ય ઊઠી મંદિર જાશું ... રાણાજી અમે.
રાણોજી રૂઠશે તો રાજ તજાવશે,
પ્રભુજી રૂઠે રે મરી જાશું ... રાણાજી અમે.
વિષના પ્યાલા રાણાજીએ મોકલ્યા,
ચરણામૃત કરી લેશું ... રાણાજી અમે.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમળ પર વારી જાશું ... રાણાજી અમે.