તુળસીને પાંદડે તોલાણા

તુળસીને પાંદડે તોલાણા
અજ્ઞાત



તુળસીને પાંદડે તોલાણા

ગુણ તો ગોવિંદના ગવાણા
ઓ નાથ તમે, તુળસીને પાંદડે તોલાણા

ઓ નાથ તમે, તુળસીને પાંદડે તોલાણા
હે જી એવા ગુણ, તો ગોવિંદના ગવાણા

ઓ નાથ તમે,તુળસીને પાંદડે તોલાણા

બોડાણે બહુ નમીને સેવ્યા, બોલડીયે બંધાણા
કૃપા કરીને પ્રભુજી પધાર્યા, ડાકોરમાં દર્શાણા

ઓ નાથ તમે, તુલસીને પાંદડે તોલાણા

હેમ બરાબર મૂલ કરીને, વાલ સવામાં તોલાણા
બ્રાહ્મણને જ્યારે ભોંઠપણ આવ્યુ, ત્યારે સખીઓને વચને વેચાણા

ઓ નાથ તમે, તુળસીને પાંદડે તોલાણા

મધ્ય ગુજરાતમાં રચી દ્વારિકા, વેદ પુરાણે વંચાણા
હરિગુરુ વચન કહે વણલખે, જગત બધામાં જણાણા

ઓ નાથ તમે, તુળસીને પાંદડે તોલાણા
ઓ જી એવા ગુણ, તો ગોવિંદના ગવાણા

ઓ નાથ તમે, તુળસીને પાંદડે તોલાણા