પાછલી રાતના નાથ પાછા વળ્યા

પાછલી રાતના નાથ પાછા વળ્યા
નરસિંહ મહેતા



પાછલી રાતના નાથ પાછા વળ્યા

પાછલી રાતના નાથ પાછા વળ્યા, શું કરું રે સખી ? હું ન જાગી;
નીરખતાં નીરખતાં નિદ્રા આવી ગઈ, વહાલોજી દઈ ગયા વાચ, રાખી.
કૃષ્ણજી ક્યાં હશે ? શોક્ય સુણશે હવે ? પરથમ જઈ એને પાય લાગું;
સરસ છે શામળો, મેલશે આમળો, જઈ રે વ્હાલા કને માન માંગું.
‘ઊઠ આળસ તજી, નાથ નથી ગયા હજી, દ્વાર ઊભા હરિ હેત જોવા;’
ધન્ય રે ધન્ય નરસૈંયાના નાથ ને, અ-સૂર થાશે મારે ધેન દોહવા.