‘શું ?’ બેત્રણ જાથી પુછાઇ ગયું. સુબાહુ સ્થિર ઊભો રહ્યો.
‘નાગલોકની મૈત્રી શોધતા એ આર્ય ચાંચિયાએ ક્ષમાને નાડી
પાછી મેળવી તારું હૃદય જીતવા આ યુક્તિ કરી છે એ ભૂલશો નહિ.’ ઉત્તુંગ
બોલ્યો.
‘ઉત્તુંગ ! આરોપ અઘિટત છે.’ ઉલૂપીએ કહ્યું.
‘સંઘપતિને તેમ લાગતું હોય તો મારે કાંઈ કહેવાનું નથી.’ ઉત્તુંગ
બોલ્યો.
‘સુકેતુની યુદ્ધખેલછા સુબાહુએ અટકાવી. એ આપણે ભૂલી ન
જઇએ.’ ઉલૂપીએ કહ્યું.
‘અવંતી અને લાટમાંથી સુબાહુને સહાય ન મળી માટે એ યુદ્ધ અટક્યું
હતું.’ ઉત્તુંગથી બોલ્યા વગર ન રહેવાયું.
‘ઉત્તુંગ ! તારી ભૂલ થાય છે. લાટ, અવંતી, જલધિરાજ અને નાગ-
સંઘ એ સર્વ યુદ્ધમાં પડે તે જ ક્ષણે રોમનો એ સહુને ખાઈ જાય એમ નથી
લાગતું? ક્ષમા આપણું માપ જોવા, આપણને ભમાવવા, લડાવવા અને
રોમક સૈન્યને ભરતખંડમાં ઉતારવા આવી છે. તારા જેવો બુદ્ધિમાન
સેનાપતિ એ નહિ સમજે તો કોણ સમજશે ?' સુબાહુએ જરા ગાંભીર્યથી -
આર્જવભરી વાણીમાં કહ્યું.
‘ક્ષમાને નસાડ્યા પછી આ બધું બોલાય છે એ ઠીક છે. પરંતુ અમારે
આર્યો અને રોમનો વચ્ચે શા માટે તફાવત ગણવો ?' ઉત્તુંગે પૂછ્યું.
‘કારણ આર્યપ્રજા અને નાગપ્રજા એ બંને ભારતવર્ષની સ્વદેશી પ્રજા
‘અમારા ઉપર માલિકી ભોગવનાર સ્વદેશી હોય કે પરદેશી તેમાં
અમારે શું ? ગુલામીમાં વળી સ્વદેશી શું અને પરદેશી શું ?’
‘નાગ અને આર્ય વચ્ચે આટલો બધો સંપર્ક થયા છતાં તારે આ કહેવું
પડે છે?’
‘હા.’
‘કારણ ?’
‘આર્યોનો ગોત્રઘમંડ હજી જેવો ને તેવો જ છે !'
થોડી ક્ષણ સુધી ત્યાં શાંતિ પ્રસરી. સુબાહુના મનમાં અનેક
તર્કવિતર્ક થયા. આર્યાવર્તને સાંધી દેવી ? કે સાંસ્કૃતિક છાપ ઉપર આધાર
સત્તાના અંકોડાથી તેને સાંધી દેવું ? કે સાંસ્કારિક છાપ ઉપર આધાર રાખી
મરજિયાત રીતે એકતાને વિકસવા દેવી ? સુકેતુ ભારતવર્ષ માટે