નાગજનપદની વ્યવસ્થા મને ઘણી ગમી.'
‘એટલે ?’
‘પ્રજા એ જ રાજા પ્રજા કહે તે સંઘપતિ. પ્રજાને સંઘપતિ ન જ્યે તો
એને બદલી બીજો કરે.'
‘આપણા પ્રજાપતિઓ પણ એમ જ પસંદ થતા; નહિ ?'
“પ્રજાતત્ત્વ બદલાયું અને આર્યાવર્ત છિન્નભિન્ન બની ગયું.
‘આપણે તે પાછું એક કરીએ જ છીએ. રાજાઓ જાય તો હું તને
પ્રજાપતિ બનવાનું કહ્યું. પણ તારું અસ્થિર માનસ...'
સુબાહુ સુકેતુની આ ટીકા સાંભળી હસ્યો અને બોલ્યો :
‘મારું માનસ અસ્થિર નથી. હું કોઈ સ્થિર યોજના શોધું છું. આર્યો
એક નથી : આર્યો અને નાગ એક નથી : આર્યો અને અસુરો એક નથી. ત્રણે
આવિર્તના પુત્રો. સર્વનું ગોત્ર કાશ્યપ - ભલે ત્રણેની માતા જુદી હોય.
કાશ્યપના પુત્રો કેમ એક ન બને ? કયી રીતે એમને એક બનાવાય ?'
‘હું તે જ કહું છું ને ? આર્યાવર્ત જીતી લે. આર્યાવર્તનો ચક્રવર્તી થા.
આર્યાવર્તનો જે ચક્રવર્તી તે જગતનો ચક્રવર્તી બનશે.’
‘પણ... મારી પાછળ ચક્રવર્તીત્વનું શું થશે ? મારી સાથે જ તે દટાશે.
નહિ ? રઘુ, રામ, યુધિષ્ઠિર, અશોક, વિક્રમ એ ચક્રવર્તીઓનાં ચક્ર ક્યાં
સુધી વર્ત્યા ?”
‘તું વાતને ગૂંચવ નહિ, એનો એક માર્ગ તો મેં તને કહ્યો. ચક્રવર્તી
પ્રજા બને; રાજા નહિ.’
‘પ્રજા ક્યારે ચક્રવર્તી બને ?’
‘પ્રજાનો નેતા સામર્થ્યસંપન્ન હોય ત્યારે.'
‘નહિ. પ્રજાનો એકેએક છૂટો અણુ ચક્રવર્તીપદને યોગ્ય બને ત્યારે.
વ્યષ્ટિ ઉન્નત તો જ સમષ્ટિ ચક્રવર્તી.'
‘એ અણુઅણુને ઉન્નત કરવા હોય તો લેઈ લે સત્તા હાથમાં વાર નહિ
લાગે.’
‘મને સત્તાનો બહુ ભય રહે છે.’
‘તો પછી એકતા કેમ લાવીશ ? ભારતવર્ષને જગતમુકુટ કેમ બના-
વીશ ? ક્ષિતિજ અને ક્ષિતિજનીયે પાર તેનો ધ્વજ કેવી રીતે ફરકાવીશ ?’
સુકેતુના મુખ ઉપર જુસ્સો તરવરી રહ્યો. સુબાહુના મુખ ઉપર
ગ્લાનિનો ભાસ થયો. જયરાજ અને તેના સાથીઓ આ વાર્તાલાપ સાંભળી
રહ્યા હતા. તેમને લાગ્યું કે આજે કોઈ અવનવી યોજના ઘડાય છે. જ્યારે