આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવન અને મૃત્યુનું સામીપ્ય:૨૩૫
મહારાજા - એક સમયનો વિલાસી કલાપ્રિય મહારાજા - એક સમયનો
વિલાસમાં ગૂંગળાઈ સુખ માટે પછાડા ખાતો આર્યભૂષણ મનાયેલો
માલવપતિ - અંતે મૃત્યુસુખ મેળવવા મથ્યો. એ સુખ તેને મળ્યું ?
એટલું તો થયું જ. અતિ વિલાસથી - વિપરીત બનેલી રસભાવનાથી
જીવનમાં ઝેર અનુભવતો એ માનવી વિલાસનાં ઝેરથી મુક્ત તો થયો જ.
પણ તે કયે વખતે ? બે નવજીવન જીવવા મથતા આત્મા ઐક્ય
શોધતા હતા ત્યારે. જીવન સંયમ માગે છે કે ભોગ ? ઉલૂપી અને સુબાહુ
બન્નેના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો.
સંયમની પાળમાં વહેતો ભોગ ! નિયમન સ્વીકારતો વિલાસ ! સુખ
બની રહે ત્યાં સુધીનો જ કામ !
બન્નેના હૃદયમાં એવા કાંઈ ભણકાર જાગ્યા.