પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૦૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૮:ક્ષિતિજ
 


સંભાળવા.' ‘પરંતુ વિશ્વઘોષનો તંત્ર માર્ગ તને સાધ્વી રાખી શક્યો ?' ‘મારી વિશુદ્ધિ વિષે પૂછે છે ?' સુકેતુએ જવાબ ન આપ્યો. સાધ્વી ઝીણું ઝીણું હસી અને બોલી : ‘અશુદ્ધ હૃદય બને, દેહ નહિ.’ અને સાધ્વી કાંચનજંઘાએ સુકેતુનો હાથ ઝાલી તેનાં આંગળાંમાં પોતાનાં આંગળાં ભરવી દીધાં.