‘કેવી રીતે ?’ રોમન વિષ્ટિકારે આછા તિરસ્કારથી પૂછ્યું.
‘આ પાંચે વર્ષ આ સરહદની વ્યવસ્થા એક સમિતિ કરે. એ
સમિતિમાં સુબાહુ, તુષારૂ અને આપનો કોઈ રોમન ક્ષત્રપ સભ્ય બને.'
સુબાહુએ કહ્યું.
‘અને પાંચ વર્ષ પછી ?' વિષ્ટિકારે પૂછ્યું.
‘પાંચ વર્ષને અંતે પણ જો આ સરહદનો પ્રદેશ સુખી ન થાય અને
તેમને સંસ્કૃતિનો સુમેળ ન ફાવે તો પાછા યુદ્ધે ચઢજો.' સુબાહુએ કહ્યું.
પાંચ વર્ષમાં તો કેટલાયે સંજોગો બદલાઈ જાય ! આર્યાવર્તની કૈંક
પ્રજાઓને મેળવી લેવાય ! અને આવા તરંગમાં રમતા નેતાઓને અનેક
છક્કડો ખવડાવી શકાય ! રોમન વિષ્ટિકારે આ યોજનામાં સંમતિ આપી.
તુષાસ્ય અને સુકેતુને તો એકે ધસારે રોમ પહોંચી જવાની ઇચ્છા હતી; તે
તેમણે વ્યક્ત પણ કરી.
‘રોમને બાળવું છે કે રોમને ભેટવું છે ?' સુબાહુએ કહ્યું.
‘આપણે રોમને નહિ બાળીએ તો રોમ આપણને પ્રજાળી મૂકશે.'
સુકેતુએ કહ્યું.
પાંચ વર્ષની મહેતલમાં આપણે આક્રમણકારોને ન ભેટીએ કે ન
બાળીએ તો આપણે પોતે જ અગ્નિપ્રવેશ કરવો જોઈએ.' સુબાહુએ કહ્યું.
અને અંતે યુદ્ધ બંધ કરવાનો સર્વાનુમતે નિશ્ચય થયો. રોમાને
પચાસ-સાઠ ગાઉ દૂર જતા હતા, પહલવોની સરહદને રક્ષણ મળતું હતું
અને આર્યાવર્તની રાજકીય અસરનો સ્વીકાર થતો હતો. માત્ર પંચવાર્ષિક
યુદ્ધવિરામ સુબાહુને બહુ ટૂંકો લાગતો હતો. છતાં એમાં સુકેતુ અને તુષા-
સ્પને ભાવિ તૈયારીઓ કરવા માટે અને રોમનોને રોકવા માટે પૂરતી
અનુકૂળતા થઈ શકે એમ હતું. અને રોમનો આ ક્ષણે જીતે એમ રોમનોને
પણ ખાતરી ન હતી. આર્ય નૌકાની માફક આર્ય ધનુષ્યબાણ પણ
ભયજનક નીવડ્યાં હતાં. રોમનોની એક દિવસના યુદ્ધમાં ભારે ખુવારી
થઈ હતી.
વળી કાંચનજંઘાને ઘવાયલી મૂકી તત્કાળ આગળ વધવાની ઇચ્છા
સુકેતુને પણ ન હતી ! સુકેતુ પણ આ વાત સમજી ગયો હશે ! સંધિપત્ર
ઉપર સહી - મહોર થયા પછી સુકેતુએ સુબાહુને પૂછ્યું :
‘સુબાહુ, તારો બોલ પાળવો એ મારો નિશ્ચય છે. પરંતુ આ રોમનો
સાથેની યોજનામાં મને પૂરી સમજ ન પડી.'
‘આ પાંચ વર્ષ હું તને એક પણ બોલ પાળવા માટે આપવાનો નથી.'