સુબાહુએ કાયમ માટે ગુમાવ્યા. મિત્રોએ - અને શત્રુઓએ પણ અને જીત
કહી. હજાર માનવીના ભોગે મળતી જીત એ સાચી જીત કહેવાય ખરી ?
હજાર કેમ ? સુકેતુ સાથેના સૈનિકોમાંથી કપાયલા ત્રણ હજાર માનવીઓને
ભુલાય ખરા ? સુશ્રુત, શિશુપાલ અને વાચસ્પતિને ગુમાવી મેળવેલી
જીતમાં આનંદ ઊપજે ખરો ? ચાર હજાર માનવીઓને એક સામટો
અગ્નિદાહ કરનાર વિજેતાનો વિજય એટલે ચાર હજાર સૃષ્ટિનો લય !
અને વિજયમાં મળતર કેટલું ?
લાગ્યો. અલબત્ત,
વિષય થઈ
રોમન આક્રમણનો ભય દૂર ગયો, સમુદ્રમાં સામ્રાજ્ય સ્થપાયું અને
આવર્ત બહારની ભૂમિનો નાનકડો ટુકડો હાથ
જગતભરમાં સુબાહુ અને સુકેતુનાં નામ કથા અને દંતકથાનો
પડ્યાં - રોમન કથાના રાક્ષસ તરીકે, પારસીકોની કથાના ક્ષણિક મિત્ર
તરીકે અને આર્યોની કથાના દેવ તરીકે - કદાચ ! એક કથામાં સુબાહુ દેવ!
અને એ જ સુબાહુ બીજી કથામાં રાક્ષસ ! મિત્રોનાં સંહારમાં શોકથી આંસુ
પાડતો સુબાહુ રોમનોના સંહારમાં કદી કદી અભિમાન અને ગૌરવ
અનુભવતો હતો ! માનવી રાક્ષસ પણ ખરો અને દેવ પણ ખરો ! ટુકડે ટુકડે!
એવા ટુકડાઓ કરતાં ઉત્તુંગ સરખી સરળ રાક્ષસતા શી ખોટી ?
પરંતુ ઉત્તુંગને રાક્ષસ બનાવનાર કોણ ? રોમન ગુલામી.
ગુલામી એટલે ?
ધનલોભ ! ભૂમિભૂખ ! કીર્તિઝંખના ! ગુલામીનાં એ મૂળ. પરંતુ એ
મૂળને નષ્ટ કરી નાખવા પ્રવૃત્ત થતો જ્વાલામુખી એ જ ગુલામીમાં છુપાઈ
રહ્યો છે !
આર્યો પણ ગુલામો ઉપજાવતા થશે ત્યારે આર્યાવર્ત પણ
જ્વાલામુખી બની જશે અને જગતવિજયની ઝંખનામાં પડેલા સુબાહુ અને
સુકેતુ શું એ જ ગુલામી પ્રગટાવવાનો પ્રયોગ નહોતો કરી રહ્યા ? ચાર હજાર
આર્ય સૈનિકો મર્યા; પણ ચાળીશ હજાર બીજા મરવા માટે તૈયાર હતા.
સુકેતુની ધારણા પ્રમાણે સુબાહુએ સૈન્યને આગળ વધાર્યું હોત તો કદાચ
રોમ સુધીનો પ્રદેશ જીતી શકાત.
પરંતુ એ વિજયમાં આર્યતા જાગ્રત થાત ખરી ? વિજય પામેલી પ્રજા
કદી મિત્રો ઊભા કરી શકતી નથી. વિજય ઘમંડ ઉપજાવ્યા વગ૨ ન જ રહે;
અને ઘમંડમાંથી દુશ્મનો જાગ્યા વગર ન રહે. આર્યસંસ્કૃતિ - અરે, કોઈ પણ
સંસ્કૃતિ ખુલ્લા કે છૂપા દુશ્મનો વચ્ચે કેટલાં વર્ષ જીવતી રહે ?
એ સંસ્કૃતિને નામે વિજય મેળવતો વીર પણ ક્યાં સુધી જીવતો રહી