‘એ પૂછવું પડશે ? અસ્પષ્ટતામાંથી આકૃતિ ઘડવી. રૂપ ન હોય ત્યાં
રૂપ સર્જવું અને વિનાશની પાંખે ઊડતા માનવીને આ શિલાઓમાં સજીવન
બનાવવો, એ અમારી કલા. એ ઘેલછામાં હું જીવું છું.'
‘કોના કહેવાથી આ મૂર્તિઓ ઘડો છો ?'
‘અમને કહે કોણ ? કહે તેનું અમે માનીએ કેમ ? અમારી મોજ એ
અમારી પ્રેરણા.'
‘ક્યાંના કલાકાર છો ?'
‘મારે સ્થળ નથી. મન માને છે ત્યાં ચિત્રો ઉપજાવું છું - રંગ કે ટાંકણાં
વડે. આ ગુફાશિલ્પ ઘડી રહી હું દક્ષિણમાં જઈશ. ત્યાંથી યવદ્વીપ જઈ એક
મહામંદિર રચીશ.’
પૂછ્યું.
‘અહીં - આ મારા પ્રદેશ ઉપર આપની કૃપા કેમ થઈ ?’
‘તારો પ્રદેશ ? તું સુબાહુ છે ?’ હસીને ઋષિ સરખા દેખાતા કલાકારે
‘હા જી.’
‘હું; હવે હું સમજ્યો. મને ઘણાએ કહ્યું હતું કે પ્રતીક તરીકે સુબાહુની
જગતભરમાં જોડ નથી. તું તાંડવ પણ સરસ કરે છે, નહિ ?'
‘ના જી.’
‘તને જ તારી આવડતની ખબર નથી ! મારે એક શિવનૃત્ય આ
ગુફામાં કોતરવું છે.’
‘ભલે. હું એ નૃત્ય જોઈશ.’
‘નૃત્ય જોઈશ ? કે નૃત્ય કરીશ ?’
‘હું તો ત્યાગનું માનસ રચતો આવું છું, નૃત્યનું નહિ.'
‘નૃત્ય અને ત્યાગ એકબીજાનાં વિરોધી છે એમ હું માને છે ? ઓ મૂર્ખ,
જેમ ત્યાગ વધારે ગાઢ તેમ કલા વધારે સાચી. ત્યાગ ન સમજનારને કલાનું
ભાન પણ ન હોય. સમજ્યો ?’
‘હું તો સંહારમાંથી આવું છું. કલાને અને સંહારને સંબંધ નથી.’
‘કલાને સમજીશ તો સંહારમાંથી કલા જાગશે.’
‘રુધિરમાં બોળેલો હાથ...'
‘રુધિર ? આહા ! રંગનો એ રાજવી ! જો, આ પહાડના થરમાંથી હું
સનાતન સ્વર્ગ રચું છું. એમાં રુધિર રેડાય તો એ જીવંત બને ! છે શક્તિ
રુધિર રેડવાની
‘ના જી. રુધિર રેડી હું થાક્યો.'