‘નાગ ન ગમતો હોય તો નાગણ વીંટાળું. કબૂલ થાય છે ?'
‘ના જી. મને તો છુટ્ટો જ રાખો.'
‘આજનું દૃશ્ય મારે માટે ગોઠવાય છે. મારે આ પહાડમાં એ
અમર કરવું છે.'
‘કયું દૃશ્ય ?’
‘તું જોજે. બેવકૂફ માનવજાતને ભાન નથી કે તે કેટલી સુંદર છે. મારે
માનવગતિ, માનવરેખા, માનવર્મિ આ સ્થળ ઊભાં કરવાં છે - નહિ
ચિરંજીવી કરવાં છે.'
હૃદય હલાવી નાખતાં તંતુવાઘો વાગી રહ્યાં. કલાયોગીની આંખ,
અને દેહ એ સંગીતમાં હાલી ગયાં. સાથે સાથે અગમ્ય મીઠાશભરી
સુવાસ સહુને સંગીતભિમુખ કરતી ફેલાઈ રહી હતી.
મુખ
‘આ મીઠાશ કેમ ચીતરાય ? કેમ ગવાય ? કેમ કોતરાય ? અરે અરે,
આ બધું જીવનમાં - હ્રદયમાં જડી દો !' કલાયોગી ઘેલાની માફક સહુને
કહેવા લાગ્યા.
સુબાહુ પ્રેક્ષકોમાં બેઠો. નૃત્ય કરતી સુંદરીઓમાં પાર્વતીએ પ્રવેશ
કર્યો. એ પાર્વતી હતી ? જરૂર. ઉલૂપીનું સામ્ય તો ભ્રમ કહેવાય - જોકે ઉલૂપી
પાર્વતીના શણગાર ધરે તો આવી જ દેખાયા વગર ન રહે. ના ના, એ જ
ઉલૂપી હતી. સુબાહુની આંખ ભૂલ ન જ કરે. ઉલૂપી પણ પર્વતપુત્રી જ હતી
ને?
પરંતુ સુબાહુ તરફ ઉલૂપીની નજર સુધ્ધાં પણ ન હતી. એ તો
અલભ્ય સ્મિતની વર્ષા કોઈ બીજી જ વ્યક્તિ ઉપર વર્ષાવતી હતી. પાર્વતીનું
લાસ્ય શિવને અર્પણ થતું હતું ! શિવ ધ્યાનસ્થ બેઠેલા હતા. પરંતુ એ
શિવમાં આટલું માર્દવ કેમ ? પાર્વતીની આકૃતિ ઉપરથી વીણાનું સર્જન થયું
એવી કથા સાચી હોવાનું ભાન સુબાહુને પાર્વતીના વિધવિધ અભિનય
ઉપરથી થવા લાગ્યું
કલાયોગી હૃદયમાં કાંઈ કાંઈ ચીતરી લેતા હતા ! અને ઘેલા બની
ઊઠતા, બેસતા અને ફરતા હતા ! પાર્વતીનું મનોહર લાસ્ય ધ્યાનસ્થ
શિવમાં જાગૃતિ લાવતું હતું. પરંતુ શિવ તરફ દૃષ્ટિ કરતાં જ કલાયોગીના
મુખ ઉપર ક્રોધ ફરી વળ્યો.
‘આટલું શીખવ્યું તોય આવડ્યું નહિ ! સ્ત્રીથી તે પુરુષનો અભિનય
થાય ! સુબાહુ, ઊભો થા.' કલાયોગીએ કહ્યું.
‘ના જી. મને કાંઈ આવડતું નથી.' સુબાહુએ કહ્યું.