આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આ લાપ ૨૧૯ દેશપરદેશમાં આ પુસ્તકને સારો આવકાર મળે અને તેના પર પ્રશંસાની લે વેરવામાં આવ્યાં, “અત્યંત ઉપયોગી થઈ પડે એવું આ પુસ્તક મેગ્ય સમયે તમે દેશને ચરણે ધર્યું છે જવાહરલાલ નહેરુએ પુસ્તક વાંચીને આમ લખ્યું હતું. ગાંધી રામનને આ પ્રશ. સાથી આનંદ થયે. એ પુસ્તકમાં ભારતની બે પેઢીઓને તાદશ ચિતાર રજૂ કરવામાં આવ્યું હતું. સરદાર પટેલના મૃત્યુ સુધી સમય તેમાં આવરી લેવામાં આવ્યા હતા. સત્યસેવાશ્રમના કેટલાય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમાજને ઉપયોગી એવાં સ્થાને પર પોતાની સેવા આપી રહ્યા હતા. ગાંધી રામને એ આશ્રમમાં ઘણું લગ્ને સાદાઈથી કરાવી આપ્યાં હતાં. એમાંનાં કેટલાંક પ્રેમલગ્ન હતાં તે કેટલાક આંતરજ્ઞાતીય લગ્નો હતાં. કોઈના જીવનમાં માર્ગદર્શક બની, તે કઈના શુભચિંતક બનીને તે પરિચિત વ્યક્તિઓની સાથે હૂંફભર્યું જીવન જીવીને તેમણે મેળવેલા આનંદના કારણે ગાંધીરામના પિતાનું દુઃખ ભૂલી શક્યા. યોગ્ય લાયકાત ધરાવતા બેકાર યુવાનને તેમણે પ્રયત્ન કરી ઠેકાણે પાડ્યા, મિત્રોને યોગ્ય સલાહસૂચને આપ્યાં, ખરાબ સબતને કારણે નાનપણમાં માર્ગ ભૂલેલાં યુવકયુવતીઓને દરવણ આપીને સુંદર અને કલાત્મક જીવન જીવતા કર્યા, આમ સત્યસેવાશ્રમની ઉન્નત કાર્ય પ્રણાલી અને જો અંગે તેમણે સેવેલાં સ્વપ્ન સાકાર થયાં. પ્રહદીશ્વરનની વાત કરીએ તે બિચારાના નસીબમાં આ જવાનું લખાયું ન હતું. ત્યાં તે દેશને આઘાત લાગે એવો બીજો બનાવ બની ગયે. જવાહરલાલ નહેરુનું નિધન થયું. એ દિવસે તેમણે પોતાની ડાયરીમાં નીચે મુજબ લખ્યું : “દેશનું ગુલાબ નાશ પામ્યું. ગુલાબ જેવા અધર હવે બોલશે નહિ, ગુલાબ જેવા હાથ હવે સેવા કાર્ય કરશે નહિ. મારા પછી