આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૬૭ તેને અને આને શું લાગેવળગે? અત્યારે આ વાત શા માટે કાઢે છે ?” “લાગેવળગે છે ત્યારે તે મને ડર લાગે છે. દેવની જેમ સામે ચાલીને તે મદદ કરતી આવી છે. તે તમને દેવતુલ્ય માને છે. તે તમારી ચિંતામાં ગળતી જાય છે.' બસ, બંધ કરો ! એક ગાનારીની દયાથી આપણે આ દેશનું સેવાકાર્ય કરવાની કંઈ જરૂર નથી..” ' “આ શબ્દ તમારા એ ભતા નથી, ભાઈ ! બીજાઓ. ભલે બેલે, પરંતુ તમારાથી બેલાય નહિ. ગાંધીવાદી અહિંસા અને સત્યના અનુયાયીઓએ આ રીતે કોઈને તુચ્છ ગણવા જોઈએ નહિ માનવનું સર્જન ભગવાને કર્યું છે અને જાતિભેદનું સર્જન માણસે કર્યું છે' એમ ગાંધીનું કહેવું છે. ખરું કહીએ તે દુનિ યામાં બે જ વર્ગ છે : માનવતાવાળા અને માનવતા વિનાના.' – સોનીના આ શબ્દ રાજારામનના હૃદયને સ્પર્શી ગયા, યુવાનીના આવેશમાં બેલાયેલા શબ્દો બદલ તે શરમિંદ થઈ ગયે. તે સેનીને જવાબ આપી શક્યો નહિ. ગાંધીનું નામ લીધા પછી. તેનું મેં જ બંધ થઈ ગયું. “તમે પકડાયા એ દિવસે તેણે તમને મંદિરમાં જોયા હતા. મંદિરમાંથી બહાર આવ્યા પછી, પિોલીસ તમને ઘસડીને લઈ જતી હતી તે પણ તેણે જોયું હતું. દાગીના ઘડાવવાના બહાને મારી પાસે આવીને મને આ વાત કરતા એ રડી હતી. તમે પકડાયાની વાત તેણે કરી ત્યારે જ મેં જાણું. હું પૂર્વના દરવાજે દેડી આવ્યો. મળવાની રજા મળી નહિ. ત્યાર પછી રેલવે સ્ટેશને આવ્યો. ત્યાં પણ વાત થઈ શકી નહિ, હું વેલૂર આવે, તે મારી સાથી આ નહે. “જાવ જઈને મળી આવો' એવા તેના આગ્રહથી હું આવ્યા હતા. આ વાંચનાલય, મુનિરુલપનેના પરિવારે-બધાંને મદદ . .